Mar 13, 2024

શરણાગતિ-By અનિલ શુક્લ


સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
જ્યાં થઇ ગતિ પવનની બંધ,ને ગતિ તેનામાં શું મળી ગઈ?

બંધન છૂટ્યું જ્યાં શ્વાસનું,તો શૂન્યતા જ સર્વ પ્રસરી રહી,
શૂન્ય મળ્યું જ્યાં શૂન્યમાં તો કોઈ અજબ સ્થિતિ બની રહી.

નથી આવતું કશું એ યાદ,બસ જાણે આનંદની મસ્તી રહી, 
યાદ રાખવા જ આ સ્થિતિને, થોડીક પંક્તિઓ લખાઈ ગઈ.

અનિલ
ફેબ્રુઆરી-૧૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-454

અધ્યાય-૧૬૩-મેરુ પર્વતનાં દર્શન 


II वैशंपायन उवाच II ततः सूर्योदये धौम्यः कृत्वाSSर्ह्निकमरिंदम I आर्ष्टिषेणेन सहितः पांडवानम्यवर्तत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સૂર્યોદય થતાં,ધૌમ્યે નિત્યકર્મ પતાવ્યું ને આર્ષ્ટિષેણને લઈને પાંડવો પાસે આવ્યા,ત્યારે પાંડવોએ તેમના ચરણમાં વંદન કર્યું.ને હાથ જોડીને સર્વ બ્રાહ્મણોનું પૂજન કર્યું.ધૌમ્ય યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-

'હે મહારાજ,પૂર્વ દિશામાં આ શૈલરાજ મંદર,સાગર સુધીની ભૂમિને ઘેરીને ઉભો છે.પર્વતો,વનના સીમાડાઓ ને અરણ્યોથી શોભી રહેલી આ દિશાનું ઇન્દ્ર તથા કુબેર રક્ષણ કરે છે.ઋષિઓ આને ઇન્દ્ર ને કુબેરનું ધામ કહે છે.

ઋષિઓ,સિદ્ધો,સાધ્યો,દેવતાઓ તથા પ્રજાઓ અહીંથી (પૂર્વથી) ઉદય પામતા સૂર્યની ઉપાસના કરે છે.(7)

Mar 12, 2024

માયા-સંગ-By અનિલ શુક્લ

 

શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
ખરું કર્યું ! માયા-સંગ રમી,ચપટીમાં બનાવી દીધી સૃષ્ટિને.

પતિ થયા માયાના,ત્યાં સુધી તો જાણે વાંધો નહોતો કોઈ,
પણ થયા જ્યાં માયાને વશ તમે,તો પ્રભુ દેહમાં ગયા પુરાઈ.

અખંડ એવા તમે,વિભાજીત થયા,અનેક ખંડમાં,કેવી નવાઈ!
તમે દૃષ્ટા,તમે દૃશ્ય,તમે જ દર્શન,વાહ,કેવી થઇ ગઈ ભવાઈ !

અનિલ
ફેબ્રુઆરી-૬-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-453

 

અધ્યાય-૧૬૨-કુબેરનાં વચનો 


II धनद उवाच II युधिष्ठिर धृतिर्दाक्ष्यं देशकालपराक्रमाः I लोकतंत्रविधानानामेप पञ्चविधो विधिः II १ II

કુબેર બોલ્યા-હે યુધિષ્ઠિર,ધૃતિ,દક્ષતા,દેશ,કાળ અને પરાક્રમ-એ પાંચ પ્રકારનો લોકવ્યવહારનો વિધિ છે.

કૃત(સત્ય)યુગમાં મનુષ્યો ધૃતિમાન,પોતપોતાના કાર્યોમાં દક્ષ ને પરાક્રમના વિધાનને જાણનારા હતા.ધૃતિમાન,દેશ અને કાળને જાણનાર અને સર્વ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી પર ચિરકાળ સુધી રાજ્ય કરે છે.જે પુરુષ પોતાના કર્મોમાં આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં યશ પામે છે ને પરલોકમાં સદગતિ મેળવે છે.હે પુરુષસિંહ,આ ભીમસેન ધર્મને જાણતો નથી,ગર્વિષ્ઠ,બાળકબુદ્ધિ,અસહનશીલ ને નિર્ભય છે.તમે તેને ઉપદેશ આપો.