Mar 7, 2024

આંખ ભીની-By અનિલ શુક્લ

 

હૃદયમાં બંધ થઇ,સુકાઈ ગયા હતા શું આંસુ?
થયું શું આજ એવું કે?આંખ ભીની થઇ ગઈ !

દુર તો ક્યાં હતા તમે? પણ નજરનો જ હતો દોષ,
તન્મયતા થઇ જ્યાં -તો આંખ ભીની થઇ ગઈ.

આવ્યાં જ છો જો તમે હૃદયથી નજર સુધી,
સ્વાગત છે તમારું દિલથી,આમ જ વહેતાં રહો.

ભલે,સમજે નહિ કોઈ,કે હું કેમ -શું લખી રહ્યો !
વહ્યો અનિલ,તુજ સંગ તો સુગંધ વહેતી રહી !

અનિલ
માર્ચ-૨૫-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-448

જટાસુરવધ પર્વ 

અધ્યાય-૧૫૭-જટાસુરનો વધ 

II वैशंपायन उवाच II ततस्तान्यरिविश्वस्तान्वसतस्तत्र पांडवान् I पर्वतेन्द्रे द्विजैः सार्ध पार्थागमनकांक्षया II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,અર્જુનના આગમનની વાટ જોતા તે પાંડવો,તે શ્રેષ્ઠ પર્વત પર બ્રાહ્મણોની સાથે નિર્ભયતાથી વસતા હતા.એવામાં એક વખતે,જયારે ઘટોત્કચ,રાક્ષસો તથા ભીમ બહાર ગયા હતા ત્યારે જટાસુર નામનો એક રાક્ષસ ત્યાં બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો ને 'હું મંત્રકુશળ બ્રાહ્મણ છું ને સર્વ શાસ્ત્રોનો જાણકાર છું' એમ કહીને તેણે ધર્મરાજ,નકુલ,સહદેવ ને દ્રૌપદીનાં ચિત્ત હરી લીધાં,ને ત્યાં તે તેમની સેવા કરવા લાગ્યો.

હકીકતમાં તો તે પાંડવોના ધનુષ્યબાણો ઉપાડી જવાનું ને દ્રૌપદીનું હરણ કરવાની ઈચ્છા ધરાવતો હતો.

ભોળા ધર્મરાજ તેનું પોષણ કરતા હતા,પરંતુ રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ તેને ઓળખી શક્યા નહોતા.(6)

Mar 6, 2024

બેખબર-By અનિલ શુક્લ

 

જે રાખતો જગની ખબર,કોણ જાણે બન્યો છે કેમ એ બેખબર?
ખબર રાખી નહિ,કે ભૂલ્યા તને,કે બીજું કારણ? ઓ બેખબર?

થયું હતું બેહોશ ને હોશમાં આવે તે પહેલાં બેહોશ કર્યું જગતને,
હોશમાં હોય કોઈ,તો ખબર જગની બેહાલીના દેશો એ બેખબરને?

અનિલ
એપ્રિલ,૧૮,૨૦૨૦-Corona Virus Pandemic


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-447

 

અધ્યાય-૧૫૬-પાંડવો નરનારાયણના આશ્રમે 


II वैशंपायन उवाच II तस्मिन्निवसमानोSय धर्मराजो युधिष्ठिरः I कृष्णया सहितान्भ्रात्रुनित्युवाच सह्द्विजान्  II १ II

વૈશંપાયન બોલ્યા-તે સ્થાને નિવાસ કરી રહેલા ધર્મરાજે,દ્રૌપદી તથા બ્રાહ્મણોની સાથે પોતાના ભાઈઓને કહ્યું કે-

આપણે જુદાંજુદાં પવિત્ર ને કલ્યાણકારી તીર્થોને જોયાં,ત્યાં અને વનોમાં ઋષિઓને મળી તેમનું પૂજન કર્યું,

તેમણે કહેલાં ચરિત્રો ને કથાઓ આપણે સાંભળી,પવિત્ર તીર્થોમાં આપણે દેવોને અને પિતૃઓને તૃપ્ત કર્યા છે.

મહાત્માઓ સાથે આપણે રમ્ય પર્વતો પર સર્વ સરોવરોમાં અને સાગરમાં સ્નાન કર્યા ને અનેક પવિત્ર નદીઓમાં પણ સ્નાન કર્યા છે.ગંગાદ્વારને ઓળંગીને આપણે હિમાલય પર્વત,વિશાલ બદ્રી ને નરનારાયણનો આશ્રમ જોયો.

Mar 5, 2024

કર્મ-સન્યાસ-By અનિલ શુક્લ

 

રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
નથી રહી ઈચ્છા,પૂર્ણ બની પૂર્ણમય થઇ ગઈ.

ધ્યાતા,ધ્યાનના રસ્તે વહ્યો હતો ધ્યેય પ્રતિ,
ત્રિપુટી તૂટી અને માત્ર ધ્યેય સર્વત્ર વહી રહ્યો.

વસ્ત્ર-સન્યાસ નહિ,પણ કર્મ-સન્યાસ થઈ ગયો,
વહેતો અનિલ,સ્થિર થઇ આકાશમાં વસી રહ્યો..

અનિલ
એપ્રિલ,૨૩.૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com