અધ્યાય-૧૪૮-હનુમાને કહેલી રામકથા
II हनुमान उवाच II हृतदारः सः भ्रात्रा पत्नीं मार्गन्स राघवः I द्रष्टवान शैलशिखरे सुग्रीवं वानरर्पभम् II १ II
હનુમાન બોલ્યા-પત્નીનું હરણ થયું ત્યારે તે રઘુનંદન પોતાના ભાઈ સાથે તેને શોધવા નીકળ્યા હતા ત્યારે ગિરિશિખર પર તેમણે સુગ્રીવને જોયા.રામને સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને તેના ભાઈ વાલીને મારીને તેમણે સુગ્રીવને રાજ્યગાદીએ બેસાડ્યો.રાજ્ય પામ્યા પછી તે સુગ્રીવે હજારો વાનરોને સીતાની શોધમાં મોકલ્યા ત્યારે હું પણ તેમની સાથે દક્ષિણ દિશામાં ગયો હતો.તે વખતે સંપાતિ નામના ગીધે ખબર આપી કે સીતાજી,લંકામાં રાવણની પાસે છે.એટલે રામના કાર્યને સિદ્ધ કરવા હું સો જોજન લાંબા સાગરને એકદમ કૂદી ગયો હતો.