Feb 26, 2024

તરંગ-By અનિલ શુક્લ

 

પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?

બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?


ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?

તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.

--અનિલ મે,21,2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-438

અધ્યાય-૧૪૫-બદ્રિકાશ્રમની યાત્રા 


II युधिष्ठिर उवाच II धर्मज्ञो बलवान शूरः सत्यो राक्षसपुंगवः I भक्तोSस्मानौरस: पुत्रो भीम गृहणातु मा चिरम् II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,આ રાક્ષસવર ઘટોત્કચ,ધર્મજ્ઞ,બળવાન,શૂરવીર,સત્યવાદી,આપણો ભક્ત ને તારો ઔરસ પુત્ર છે તો તે ભલે આપણને ઊંચકીને લઇ જાઓ.હે ભીમ,તારા બાહુબળથી જ હું ગંધમાદન પર્વત 

પર જઈ શકીશ' યુધિષ્ઠિરનું આવું વચન સાંભળીને ભીમસેને ઘટોત્કચને આદેશ આપતાં કહ્યું કે-

તારી આ માતા થાકી ગઈ છે,તું બળવાન ને ઈચ્છાગતિ વાળો છે,તો એને ખભે બેસાડીને,

તું એને પીડા ન થાય તે રીતે અમારી વચ્ચે રહી હળવી ગતિથી આકાશમાર્ગે ચાલ.(5)

Feb 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-437

 

અધ્યાય-૧૪૪-દ્રૌપદીને મૂર્છા ને ઘટોત્કચનું આવવું 


II वैशंपायन उवाच II कोशमात्रं प्रपातेषु पांडवेषु महात्मसु I एद्म्यामनुचिता गंतुं द्रौपदी समुपाविशत् II १ II

વૈશંપાયન બોલ્યા-હવે તે મહાત્મા પાંડવો હજુ એક કોશ જેટલે દૂર ગયા ત્યારે પગે ચાલવાને અયોગ્ય એવી દ્રૌપદી રસ્તા પર જ બેસી ગઈ.પવન ને વૃષ્ટિને લીધે થાકીને,દુઃખથી ઘેરાઈને,તે એકદમ મૂર્છાવશ થઇ ગઈ.

ભાંગેલી વેલીની જેમ જમીન પર પડવા લાગેલી તે દ્રૌપદીને નકુલે એકદમ દોડી જઈને ઝાલી લીધી.(5)

Feb 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-436

 

અધ્યાય-૧૪૩-ભયંકર વૃષ્ટિ અને તોફાન 


II वैशंपायन उवाच II ते शुरास्ततधन्वानस्तुणर्वत: समार्गणा : I यद्वगोधांगुलित्राणाः खडगवंतो मितौजस : II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ એવા તે અમાપ તેજવાળા શૂરવીર પાંડવો ઉત્તમ બ્રાહ્મણો ને દ્રૌપદી સાથે ગંધમાદન તરફ ચાલ્યા.તેમણે ધનુષ્ય ને તલવાર સજ્યાં હતા.તેમણે પર્વત પર અનેક સરોવરો,સરિતાઓ,વનો અને દેવર્ષિઓએ સેવેલા દેશોને જોયા.પછી,તે મહાત્માઓએ ઋષિઓ,સિદ્ધો ને દેવોથી ભરેલા,ગંધર્વો ને અપ્સરાઓને વહાલા,અને કિન્નરોના સંચારવાળા ગંધમાદન પર્વતમાં પ્રવેશ કર્યો.

Feb 23, 2024

સ્થિર અનિલ-By અનિલ શુક્લ

 

ભોગવી લો,જોઈ લો આ માયાવી જગતને ત્યાં સુધી,પણ,

જ્યાં એ જગત,ગગનમાં સમાયું,તો પછી એ દેખાશે નહિ.


સંભળાય છે એ નાદ?સાંભળીને ભલે બની જાઓ ઉન્મત્ત,

શૂન્યતા બ્રહ્મની જ્યાં પ્રસરી કે પછી તે સંભળાશે નહિ.


સુગંધ અનિલની સુંઘી લો કે સુરાવલી તેની સાંભળી લો,

જ્યાં સ્થિર થયો અનિલ,એ ગગનમાં,તો પછી દેખાશે નહિ.


અનિલ -મેં-25,2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com