અધ્યાય-૧૪૨-નરકાસુરનો વધ તથા વરાહનું ચરિત્ર
II लोमश उवाच II द्रष्टारः पर्वताः सर्वे नद्यः सपुरकाननाः तीर्थानि चैव श्रिमंति स्पृष्टं सलिलं करैः II १ II
લોમશ બોલ્યા-હે દર્શન કરનારાઓ,તમે સર્વ પર્વતો,નદીઓ,નગરો,વનો અને તીર્થો જોયાં છે ને તેના જળનો હાથથી
સ્પર્શ કર્યો છે,હવે આ માર્ગ દિવ્ય મંદર પર્વત તરફ જશે,તમે સૌ સાવધાન અને ઉદ્વેગરહિત થાઓ.
મંગળ જળવાળી આ પાવનકારી મહાનદી વહે છે,જેનું મૂળ બદરિકાશ્રમમાં છે.દેવો ને ઋષિઓ તેનું સેવન કરે છે.
સામગાન કરનારા મરીચિ,પુલહ,ભૃગુ ને અંગિરા અહીં સામનું ગાન કરે છે.ઇન્દ્ર,મરુદગણ સાથે આહનિક જપે છે.
સૂર્ય,ચંદ્ર,તારાઓ ને ગ્રહો,રાતદિવસના વિભાગ અનુસાર આ નદીને અનુસરે છે.શિવજીએ ગંગાદ્વારમાં આ નદીના
જળને મસ્તક પર ઝીલ્યું હતું,તેથી લોકની રક્ષા થઇ હતી.તમે સૌ આ ભગવતી ગંગાને પ્રણામ કરો.(10)