પીતાંબર પહેરી,કર્યાં ટપકાં-ટીલાં,લીધી હાથમાં માળા ને વગાડી ઘંટડી,
Feb 21, 2024
પ્રેમની સગાઇ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-433
અધ્યાય-૧૪૦-પાંડવોનું ગંધમાદન પર્વત તરફ પ્રયાણ
II युधिष्ठिर उवाच II एतर्हितानि भूतानि बलवंति महान्ति च I अग्निना तपसा चैव शक्यं गन्तु वृकोदर II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે વૃકોદર,આ સ્થાનોમાં મહાન ને બળવાન પ્રાણીઓ લપાઈને રહે છે,તપ અને અગ્નિની સહાયથી જ આપણે આગળ જઈ શકીશું.તો તું બળ ને દક્ષતાનો આશ્રય કરીને ભૂખ તરસને દૂર કર.લોમશ મુનિએ જે વચન કહ્યાં તે તેં સાંભળ્યા છે.અહીં,દ્રૌપદી કેવી રીતે ચાલી શકશે?
Feb 20, 2024
એકલા-By અનિલ શુક્લ
નથી રહેવું જેઓને એકલા,જુઓ,એકલા એકલા જ બનાવી દીધા તેને,
પગ જેનો ટકતો નહોતો ઘરમાં,ઘરમાં ને ઘરમાં જ ફસાવી દીધા છે તેને,
ઓ કોરોના,વાત શું કરવી તારી? બધું અજબ અજબ જ સાંભળવા મળે,
કેમ છો? એમ જો ખાલી જ પૂછો- તો આખી જ કહાણીઓ સાંભળવા મળે.
જાવા દો ને,આની એ વાત તો શું કરવા કરું છું ? તમારી આગળ તમને?
નથી કશું પૂછ્યું ને કશું વાંચવું એ નહોતું,તમારે તોયે આ વંચાવી દીધું તમને.
અનિલ
જૂન-8-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-432
અધ્યાય-૧૩૯-પાંડવોનું કૈલાસ તરફ પ્રયાણ
II लोमश उवाच II उषिर्बीजं मैनाकं गिरि श्वेत च भारत I समतीतोSमि कौन्तेय कालशैलं च पार्थिव II १ II
લોમશ બોલ્યા-હે ભારત,તમે ઉશીરબીજ,મૈનાક,શ્વેતગિરિ તથા કાલશૈલ પર્વતોને વટાવી ગયા છો.જુઓ,આ સાત પ્રવાહે વહેતી ગંગા શોભી રહી છે.આ શુદ્ધ ને પવિત્ર સ્થાન છે અને અહીં અગ્નિ નિરંતર પ્રદીપ્ત રહે છે.સર્વ મનુષ્યો આ અદભુત સ્થાનને જોઈ શકતા નથી,તમે સમાધિ કરો અને આ તીર્થસ્થાનોને જુઓ.હવે કાળશૈલ પર્વતને ઓળંગીને આપણે શ્વેતગિરિ તથા મંદરાચલ પર્વતમાં પ્રવેશ કરીશું,જ્યાં મણિવર નામનો યક્ષ ને
યક્ષરાજ કુબેર રહે છે.ઝડપી ગતિવાળા અઠ્યાસી હજાર ગંધર્વો,કિંપુરુષો અને તેનાથી ચારગણા યક્ષો
એ સૌ યક્ષેન્દ્ર મણિભદ્રને ઉપાસી રહ્યા છે.તેમની પાસે અતિશય સમૃદ્ધિ છે ને તેમની ગતિ વાયુ જેવી છે.
ને તેઓ દેવરાજ ઇન્દ્રને પણ ચોક્કસથી ભ્રષ્ટ કરી શકે તેવા બળવાન છે.(8)
Feb 19, 2024
અમૃત અને યાદ-By અનિલ શુક્લ
અટકચાળો બાંકે આ માનવી,કામ કરે નહિ કોઈ સીધું,
-------
વસી ગયો 'એ' જ્યાં,દિલમાં મારા,તો હું ય વસ્યો 'તે'ના દિલમાં,
પતો થયો બંનેનો એક,હવે મુશ્કેલ નથી,યાદ રાખવો તેને મનમાં
અનિલ -જુલાઈ-6-2021