Feb 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-431

 

અધ્યાય-૧૩૮-રૈભ્યનો વધ ને સર્વનું પુનઃ સજીવન થવું 


II लोमश उवाच II अतस्मिन्नेव काले तु ब्रुह्यध्युम्नो महीपतिः I सन्नं तेने महाभागो रैभ्यवाज्यः प्रतापवान् II १ II

લોમશ બોલ્યા-એ જ સમયે,રૈભ્યના પ્રતાપી અને મહાભાગ્યશાળી યજમાન બૃહદ્યુમ્ન રાજાએ યજ્ઞ આરંભ્યો હતો.

ને તેણે રૈભ્યના બે પુત્રોને યજ્ઞમાં સહાયક તરીકે પસંદ કર્યા હતા.પિતાની આજ્ઞા લઈને તે બંને ત્યાં ગયા હતા.

એકવાર પરાવસુ એકલો ઘેર પત્ની ને પિતાને મળવા નીકળ્યો,ત્યાં વનમાં તેણે પિતાને મૃગચર્મથી ઢંકાયેલા જોયા.

પણ,તે વખતે અંધારું હતું,એટલે તેણે પિતાને ઓળખ્યા નહિ ને માન્યું કે તે વનમાં વિચરતું કોઈ મૃગ છે.

શરીરની રક્ષા કરવાની ઈચ્છાથી તેણે પોતાના પિતાને મૃગ સમજીને મારી નાખ્યો.

Feb 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-430

 

અધ્યાય-૧૩૭-ભરદ્વાજનો શાપ તથા અગ્નિપ્રવેશ 


II लोमश उवाच II भरद्वाजस्तु कौन्तेय कृत्वा स्वाध्यायमाह्निकं I समित्कलायमादाय प्रविवेश स्वमाश्रमम् II १ II

લોમશ બોલ્યા-હે કૌંતેય,પછી,સ્વાધ્યાય આદિ આહનિક કાર્ય કરીને ને સમિધનો ભારો લઈને ભરદ્વાજ,પોતાના આશ્રમે પાછા આવ્યા ત્યારે રોજની જેમ (મરણથી સૂતકી થયેલા) અગ્નિહોત્રના અગ્નિઓએ ઉભા થઇ અભિનંદન આપ્યા નહિ એટલે તેમણે ગૃહપાલ તરીકે બેઠેલા તે અંધ શુદ્રને પૂછ્યું કે-આજે અગ્નિઓ મને દર્શન કેમ આપતા નથી અને તું પણ આજે પહેલાં જેવો કેમ દેખાતો નથી? આશ્રમમાં સર્વ કુશળ તો છે ને?

Feb 17, 2024

Ram Ka gungan Karie-By Bhimsen and Lata-With Lyrics-in gujarati રામ કા ગુનગાન કરીએ-લતા અને ભીમસેન જોષી

 

રામ કા ગુનગાન કરીએ,
રામ પ્રભુ કી  સભ્યતા કા  ભદ્રતા કા ધ્યાન કરીએ.

રામ કે ગુણ ગુણ ચિરંતન,
રામ ગુણ સુમિરન રતન ધન,
મનુજતા કો કર વિભૂષિત ,મનુજતા ધનવાન કરીએ.

સગુણ બ્રહ્મ,સ્વરૂપ સુંદર,
સુજન રંજન ભૂપ સુખકર,
રામ આત્મા-રામ આત્મા-રામ કા સન્માન કરીએ-
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

અચળ ભક્તિ-By અનિલ શુક્લ

 

હરી જતો જે સર્વનાં મન,તે  જ મનહરનું મન,

હરી ગઈ,રાધાજી ને ગોકુળની નટખટ ગોપીઓ.

કોણ કહી શકે કે જગદીશ્વરને કોઈ ખોટ નથી?
મનની જ ખોટ પડી ગઈ,લાગે,જશોદાના લાલને.

હે હરિ,દઈ દઉ છું,મન, મારુ,પ્રેમથી સ્વીકારજો.
ચરણકમળમાં રહું સદા,ભક્તિ અચળ આપજો.

અનિલ 

7-29-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-429

 

અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ 


II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II

લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-

'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.

યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.