Feb 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-428

 

અધ્યાય-૧૩૫-યવક્રીતનું આખ્યાન 


II लोमश उवाच II एषा मधुविला राजन्समंगा संप्रकाशते I एतत्कर्दमिलं नाम भरतस्याभिपेचनम् II १ II

લોમશ બોલ્યા-હે રાજન,આ મધુવિલ નદી સમંગા નામે શોભી રહી છે.આ કર્દમિલ નામનું ભરતનું અભિષેક તીર્થ છે.વૃત્રને મારીને લક્ષ્મીરહિત થયેલો ઇન્દ્ર.પૂર્વે આ સમંગામાં સ્નાન કરીને પાપમુક્ત થયો હતો.મૈનાકની વચ્ચે આવેલું આ વિનશન નામનું તીર્થ છે.પૂર્વે અહીં અદિતિએ પુત્રપ્રાપ્તિ માટે ચરુ તૈયાર કર્યો હતો.આ ઋષિઓને પ્રિય કનખલ પર્વતો છે.આ મહાનદી ગંગા શોભી રહી છે.અહીં સનતકુમાર સિદ્ધિ પામ્યા હતા.તેમાં સ્નાન કરો.

આ પુણ્ય નામે જળનો ઝરો છે,આ ભૃગુતુંગ પર્વત છે,આ ઉષણી ગંગા છે.આ સ્થૂલશિરા ઋષિનો આશ્રમ છે.

આ રૈભ્યાશ્રમ છે,અહીં ભારદ્વાજનો યવક્રીત નામે પુત્ર નાશ પામ્યો હતો.(9)

Feb 15, 2024

જિંદગી-By અનિલ શુક્લ



 શરુ થયું અહીં જીવન,જીવું અહીં કે બીજે,જીવન તો ધરતી પર જ છે,
અંત થશે જિંદગીનો જલશે ચિતા,અંત જીવનનો તો ધરતી પર જ છે.

વહાવી તે જિંદગીને અનિલ,માણી જિંદગી ને જીવી જાણી ઘણી,
આશ્ચર્ય તો એ લાગે છે કે હવે જિંદગી તને જ જીવ્યે જાય છે.

ગુમાની બન નહિ અનિલ,હેસિયતથી અધિક દઈ દીધું છે,એણે,
હા,પ્રભુ તારી જ કૃપાથી તો આ જિંદગી જિવાયે ને વહ્યે જાય છે.

અનિલ 
ફેબ્રુઆરી.14,2024


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Ekla Javana-with Gujarati Lyrics-એકલા જવાના


એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે  એકલા ને  કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ  પંથે ભેરુ 
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના 

કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ  છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ  થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
- બરકત વિરાણી -‘બેફામ’

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-427

 

અધ્યાય-૧૩૪-બંદીનો પરાભવ 


II अष्टावक्र उवाच II 

अत्रोग्रसेनसमितेषु राजन्समागतेष्वप्रतिमेपु राजसु I नावैमि बंदीवरणमवादिनां महाजले हंसमिवाददामि II १ II

અષ્ટાવક્ર બોલ્યા-હે રાજન,અહીં,ઉગ્રસેન જેવા અપ્રતિમ રાજાઓ એકઠા થયા છે,તેઓમાં રહેલા વાદીઓમાં શ્રેષ્ઠ એવા તે બંદીને હું ઓળખતો નથી,મહાજલમાં હંસ એવા એને હું શોધું છું.(રાજાએ બંદી તરફ ઈશારો કર્યો એટલે બંદી તરફ વળીને તેને કહ્યું કે)હે અતિવાદીઓમાં અભિમાની,તેં વાદમાં હારનારાઓને પાણીમાં ડુબાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે,

પણ આજે તું મારી સાથે વિવાદ નહિ કરી શકે.જેમ,પ્રલયકાળના ભડભડતા અગ્નિ આગળ,

નદીઓનો વેગ સુકાઈ જાય છે તેમ,આજે તારી દશા થશે.તું અહીં મારી સાથે વિવાદ કરવા સ્થિર થા (2)

Feb 14, 2024

આંખ-મીંચામણાં-By-અનિલ શુક્લ

 

આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,

પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,

તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?


અનિલ-ઓગસ્ટ-1-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com