Feb 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-427

 

અધ્યાય-૧૩૪-બંદીનો પરાભવ 


II अष्टावक्र उवाच II 

अत्रोग्रसेनसमितेषु राजन्समागतेष्वप्रतिमेपु राजसु I नावैमि बंदीवरणमवादिनां महाजले हंसमिवाददामि II १ II

અષ્ટાવક્ર બોલ્યા-હે રાજન,અહીં,ઉગ્રસેન જેવા અપ્રતિમ રાજાઓ એકઠા થયા છે,તેઓમાં રહેલા વાદીઓમાં શ્રેષ્ઠ એવા તે બંદીને હું ઓળખતો નથી,મહાજલમાં હંસ એવા એને હું શોધું છું.(રાજાએ બંદી તરફ ઈશારો કર્યો એટલે બંદી તરફ વળીને તેને કહ્યું કે)હે અતિવાદીઓમાં અભિમાની,તેં વાદમાં હારનારાઓને પાણીમાં ડુબાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે,

પણ આજે તું મારી સાથે વિવાદ નહિ કરી શકે.જેમ,પ્રલયકાળના ભડભડતા અગ્નિ આગળ,

નદીઓનો વેગ સુકાઈ જાય છે તેમ,આજે તારી દશા થશે.તું અહીં મારી સાથે વિવાદ કરવા સ્થિર થા (2)

Feb 14, 2024

આંખ-મીંચામણાં-By-અનિલ શુક્લ

 

આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,

પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,

તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?


અનિલ-ઓગસ્ટ-1-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Jina Yeha Marna yaha-By Raj Kapoor Video

Best Morning Meera-Bhajan-By Lata-Chala Vahi Des

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-426

 

અધ્યાય-૧૩૩-જનકને ત્યાં સંવાદ 


II अष्टावक्र उवाच II 

अंधस्य पंथा बधिरस्य पंथाः स्त्रियः पंथाः भारवहस्य पंथाः I राज्ञः पंथा ब्राह्मणेनासमेत्य समेत्य तु ब्राह्मणस्यैव पंथाः II १ II

અષ્ટાવક્ર બોલ્યા-'બ્રાહ્મણ સામે ન મળ્યો હોય,તો આંધળાને,બહેરાને,સ્ત્રીઓને,ભાર વહેનારને 

અને રાજાને માર્ગ અપાય,પણ,બ્રાહ્મણ સામે મળ્યો હોય તો તેને જ પ્રથમ માર્ગ અપાય'

રાજા બોલ્યો-'હું હાલ જ તમને માર્ગ આપું છું તમે ઈચ્છા હોય તેમ ખુશીથી જાઓ.કેમકે અગ્નિ થોડો પણ 

હોય તો પણ વિસાત વિનાનો ગણાતો નથી અને તેથી ઇન્દ્ર પણ બ્રાહ્મણોને નિત્ય નમન કરે છે.' (2)