અધ્યાય-૧૩૨-અષ્ટાવક્રનું આખ્યાન
II लोमश उवाच II
यः कथ्यते मन्त्रविदग्धबुध्धिरौदालकि: श्वेतकेतुः प्रुथिव्याम् I तस्याश्रमं पश्य नरेन्द्र पुण्यं सदा कलैरुपपन्नं महीजैः II १ II
લોમશ બોલ્યા-'હે નરેન્દ્ર,પૃથ્વીમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા જે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુનો,આ વૃક્ષો ને ફળોથી સદા ભરૂપુર એવો આશ્રમ જુઓ.અહીં,શ્વેતકેતુએ સાક્ષાત સરસ્વતીનાં દર્શન કર્યા હતાં.એ સરસ્વતી પાસે શ્વેતકેતુએ વરદાન માગ્યું હતું 'મને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થાઓ' ત્યારે સરસ્વતીએ તે વરદાન આપ્યું હતું.