Feb 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-425

અધ્યાય-૧૩૨-અષ્ટાવક્રનું આખ્યાન 


II लोमश उवाच II 

यः कथ्यते मन्त्रविदग्धबुध्धिरौदालकि: श्वेतकेतुः प्रुथिव्याम् I तस्याश्रमं पश्य नरेन्द्र पुण्यं सदा कलैरुपपन्नं महीजैः II १ II

લોમશ બોલ્યા-'હે નરેન્દ્ર,પૃથ્વીમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા જે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુનો,આ વૃક્ષો ને ફળોથી સદા ભરૂપુર એવો આશ્રમ જુઓ.અહીં,શ્વેતકેતુએ સાક્ષાત સરસ્વતીનાં દર્શન કર્યા હતાં.એ સરસ્વતી પાસે શ્વેતકેતુએ વરદાન માગ્યું હતું 'મને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થાઓ' ત્યારે સરસ્વતીએ તે વરદાન આપ્યું હતું.

Feb 12, 2024

Jaise Surajki Garmi se-With Lyrics In Gujarati-By Sonu Nigam-જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો-સ્વર-સોનુ નિગમ


જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો,મિલ જાએ તરુવરકી છાયા,
ઐસા હી સુખ મેરે મનકો મિલા મૈ જબસે શરણ તેરી આયા,...મેરે રામ..

ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,
લહેરો સે લડતી હુઈ નાવકો જૈસે મિલ ના રહા હો કિનારા,
ઉસ લડખડાતી હુઈ નાવકો  જો કીસીને કિનારા દિખાયા...ઐસા હી...

શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો તેરી,
ઉજીયાળી પૂનમ કી હો જાયે રાતેં,જ્યોતિ અમાવાસ અંધેરી.
યુગયુગસે પ્યાસી મરુભૂમિને જૈસે પાની કા સંદેશ પાયા.....ઐસા હી..

જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા....ઐસા હી....

સ્વર-સોનુ નિગમ 

મદિરા ને મંદિર-By-અનિલ શુક્લ

 

ફર્ક બહુ લાગતો નથી શબ્દોમાં અનિલ,

ભલે કહો મદિરા કે ભલે કહો મદિર (મંદિર)

બંને,જો,નશો જ આપે છે ને થોડી ઘડી,

તો મનુષ્ય થઇ રહયો છે શાને માટે અધીર?

અનિલ-10-23-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-424

 

અધ્યાય-૧૩૧-ઉશીનરના ધૈર્યની કસોટી  

II श्येन उवाच II धर्मात्मानं त्वाSSहुरेकं सर्वे राजन्महीक्षितः I सर्वधर्मविरुद्वं त्वं कस्मात्कर्म चिकिर्पसि II १ II

શ્યેન બોલ્યો-'હે ઉશીનર,સર્વ રાજાઓ તને એકલાને જ ધર્માત્મા કહે છે તો તું સર્વ ધર્મથી વિરુદ્ધ એવું 

કર્મ શા માટે કરવા ઈચ્છે છે? આ હોલો મારુ ભક્ષ્ય થવા નિર્માયો છે.હું ભૂખથી પીડાઈ રહ્યો છું.

તો તું ધર્મનો લોભ કરીને આ હોલાને રક્ષણ ન આપ,લાગે છે કે તું ધર્મને ખોઈ બેઠો છે.

રાજા બોલ્યો-'હે મહાપક્ષી,આ પંખી તારા ડરથી મારા શરણે આવ્યું છે,તેનો ત્યાગ કરવો એ નિંદાપાત્ર છે,

બ્રાહ્મણોનો કે શરણે આવેલાને ત્યજવાનું પાપ ગાયોના વધ સરખું જ ગણવામાં આવે છે' (6)

Feb 11, 2024

Madi Taru Kanku Kharyu-with Lyrics in gujarati,By Asha Bhosle and Osman Mir-માડી તારુ કંકુ ખર્યું

Worth to here this
આશા ભોંસલે ના સ્વરમાં...સુંદર રીતે ગવાયેલું ભજન





માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.


મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારલાને મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.


-: અવિનાશ વ્યાસ


Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા