Feb 11, 2024

વરસો વહી ગયા-By-અનિલ શુક્લ

 

ખોળવાનો ક્યાં હતો 'તે'ને? માત્ર ઓળખવાની જ જરૂર હતી,

છતાં એ સફર લાંબી કરી દીધી,ને વરસો જિંદગીના વહી ગયા !


અશક્ય તો ક્યાં કશુંય છે? નાસમજ થઇ ખોટી જ મહેનત કરી,

પણ,જે શક્ય જ હતું,તેને પામવામાં વરસો જિંદગીના વહી ગયા.


લાખ ચાહ્યું હતું કે દોડીને પહોંચી જઈશ,ને પામી લઈશ 'તે'ને,

પણ,પ્રારબ્ધમાં ચાલવાનું જ હતું? ને વરસો જિંદગીના વહી ગયા.


દૂર તો 'તે' ક્યાં હતો? ને તેથી જ  તો મંજિલ ક્યાં  દૂર હતી?

મને જ પામવામાં,જિંદગીના મારા જ અનુપમ વરસો વહી ગયા.


ખોળતા હતા મારા નયનો,અધીર બની જે અનંતને,'તે'તો,આવી,

નયનોમાં જ બેઠો હતો,ઓળખવામાં વરસો જિંદગીના વહી ગયા.


અનિલ મે,23,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-423

 

અધ્યાય-૧૩૦-તીર્થનિર્દેશ તથા બાજ અને હોલાનું આખ્યાન 


II लोमश उवाच II इह मर्त्यातनुस्त्यत्तवा स्वर्ग गच्छन्ति भारत I मर्तुकामा नरा राजन्निहायान्ति सहस्त्रशः II १ II

લોમશ બોલ્યા-'હે ભારત,અહીં શરીર છોડીને માણસો સ્વર્ગમાં જાય છે,તેથી અહીં મરણ પામવાની ઈચ્છાથી હજારો માનવો આવે છે.પૂર્વે યજ્ઞ કરતા દક્ષે આવો આશીર્વાદ છોડ્યો છે 'જે મનુષ્યો અહીં મૃત્યુ પામશે 

તેઓ સ્વર્ગજિત થશે' હે પૃથ્વીનાથ,આ રમણીય સરસ્વતી નદી છે,આ દિવ્ય ઓઘવતી નદી છે 

અને આ સરસ્વતીનું વિનશન તીર્થ છે.આ નિષાદદેશનું દ્વાર છે.'આ નિષાદો,રખેને મને ઓળખી કાઢે' 

એવા વિચારથી તે નિષાદોના દોષને લીધે સરસ્વતી પૃથ્વીમાં પેસી ગઈ છે (4)

Feb 10, 2024

Sukku Mevad-By Aishvarya-with lyrics in Gujarati-સૂક્કું મેવાડ

For I PAD User




કવિ - જતીન બારોટ સ્વર - ઐશ્વર્યા મજમુદાર સંગીત - રથિન મહેતા

સૂક્કું મેવાડ એક આંખથી વહે, ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.
ધોળીને દખ અમે પીધાં છે વખ, કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

તારા મેવાડમાં રાત અને દિ' મેરો ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ, મને સંભળાઅ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય, મારી અંધારી ઘોર છે રવેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

સંતોની સંગ મારે કરવો સત્સંગ, ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ, જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી, હવે બાકીમાં ગોપી છે શેષ.
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

અસ્તિત્વ-By-અનિલ શુક્લ

 

એક લહેર ઉઠી આનંદની,સંગીતની સુરાવલી વહી રહી ક્યાંથી?

અસંગ થઇ બેઠો હતો,અગમ્ય ફૂલોની સુગંધ વહી રહી ક્યાંથી?


શું એકલા પર્વતના પથ્થરને ચીરીને ઝરણું તો નથી વહી રહ્યું?

કે પછી,વિરાન રણમાં ફૂલોની ચમક ઉઠી ને સુગંધ વહી રહી?


વરસોની તન્હાઈ તૂટી,કોઈ નવો રંગ ખીલી રહ્યો અંધારી રાતમાં,

હું-પણું ભુલાઈ ગયું,ને અસ્તિત્વ મારુ,તારામાં સમાઈ ગયું લાગે.


અનિલ 

જુલાઈ,18,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-422

 

અધ્યાય-૧૨૯-પવિત્ર સ્થાનોનું વર્ણન 


II लोमश उवाच II अस्मिन्किल स्वयं राजन्निष्टवान वै प्रजापतिः I सत्रमिष्टिकृतं नाम पुरा वर्षसहस्त्रकम् II १ II

લોમશ બોલ્યા-'હે રાજન,આ જ સ્થળે.પૂર્વે પ્રજાપતિએ પોતે એક હજાર વર્ષ ચાલે એવો ઇષ્ટિકૃત નામનો એક યજ્ઞ કર્યો હતો.વળી,નાભાગના પુત્ર અંબરીષે પણ અહીં યજ્ઞ કર્યો હતો ને દશ હજાર ગાયોનું દાન કરીને તે પરમસિદ્ધિને પામ્યો હતો.અમાપ તેજવાળા ને ઇન્દ્રની સાથે સ્પર્ધા કરનારા નહુષપુત્ર યયાતિનો આ દેશ છે.ને આ તેની યજ્ઞભૂમિ છે.અનેક પ્રકારના આકારવાળી અને અગ્નિવેદીઓથી ભરાઈ ગયેલી આ ભૂમિ જુઓ.