Feb 10, 2024

અસ્તિત્વ-By-અનિલ શુક્લ

 

એક લહેર ઉઠી આનંદની,સંગીતની સુરાવલી વહી રહી ક્યાંથી?

અસંગ થઇ બેઠો હતો,અગમ્ય ફૂલોની સુગંધ વહી રહી ક્યાંથી?


શું એકલા પર્વતના પથ્થરને ચીરીને ઝરણું તો નથી વહી રહ્યું?

કે પછી,વિરાન રણમાં ફૂલોની ચમક ઉઠી ને સુગંધ વહી રહી?


વરસોની તન્હાઈ તૂટી,કોઈ નવો રંગ ખીલી રહ્યો અંધારી રાતમાં,

હું-પણું ભુલાઈ ગયું,ને અસ્તિત્વ મારુ,તારામાં સમાઈ ગયું લાગે.


અનિલ 

જુલાઈ,18,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-422

 

અધ્યાય-૧૨૯-પવિત્ર સ્થાનોનું વર્ણન 


II लोमश उवाच II अस्मिन्किल स्वयं राजन्निष्टवान वै प्रजापतिः I सत्रमिष्टिकृतं नाम पुरा वर्षसहस्त्रकम् II १ II

લોમશ બોલ્યા-'હે રાજન,આ જ સ્થળે.પૂર્વે પ્રજાપતિએ પોતે એક હજાર વર્ષ ચાલે એવો ઇષ્ટિકૃત નામનો એક યજ્ઞ કર્યો હતો.વળી,નાભાગના પુત્ર અંબરીષે પણ અહીં યજ્ઞ કર્યો હતો ને દશ હજાર ગાયોનું દાન કરીને તે પરમસિદ્ધિને પામ્યો હતો.અમાપ તેજવાળા ને ઇન્દ્રની સાથે સ્પર્ધા કરનારા નહુષપુત્ર યયાતિનો આ દેશ છે.ને આ તેની યજ્ઞભૂમિ છે.અનેક પ્રકારના આકારવાળી અને અગ્નિવેદીઓથી ભરાઈ ગયેલી આ ભૂમિ જુઓ.

Feb 9, 2024

Shri krishna govind hare murari-by Govind Bhargav-ગુજરાતી શબ્દો સાથે

Very Nice Bhajan - Dhoon



હમ હરિસાં લગન લગાયેંગે.
ચરનન મે પ્રીત લગાયેંગે.
રસિકન નકે સંગ બૈઠ બૈઠ 
હમ માધવકે ગુન ગાયેંગે,
કોમલ હિયે કયું ના પીગલે વો,
જબ રો રો કે વ્યથા સુનાયેંગે,
એક દિન તો કરુણા કરકે,
કરુણાનિધિ દોડ આયેંગે.
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નથ નારાયણ વાસુદેવા.....

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

ભૂલ કોની?-By-અનિલ શુક્લ

 

ઉધાર લીધો પંખીનો કંઠ,સાંભળાવવા તેં તારા મધુર સંગીતને,

ફૂલમાં વસી રહ્યો તું,દર્શાવ્યું તારું રૂપ,ને આકર્ષણ કર્યું રૂપથી, 


નયન બનીને,નયનોથી જ તો કર્યું હતું,તેં તારા સંગનું નિમંત્રણ,

પણ,અસંગ બની,સમાધિમાં બંધ કર્યા નયનો,તો ભૂલ કોની?


તારી જ બનાવેલી માયામાં તો તું વસી રહ્યો જ હતો ને પ્રભુ ?

પીઠ ફેરવી લીધી ને ના સાંભળી તારી પુકારને,તો ભૂલ કોની?


અનિલ 

ઓગસ્ટ,12,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-421

 

અધ્યાય-૧૨૮-સોમકને સો પુત્રોની પ્રાપ્તિ ને પાપનું ફળ 


II सोमक उवाच II ब्रह्मन्यद्यद्ययाकार्य तत्कुरुष्व तथा तथा I पुत्रकामतया सर्व करिष्यामि वचस्तव II १ II

સોમક બોલ્યો-'હે બ્રહ્મન,જે જે કર્મ જેમ કરવાનું હોય તે કર્મ તે પ્રમાણે કરો.

પુત્રની ઈચ્છાથી હું તમારું સઘળું કહેલું કરીશ.

લોમશ બોલ્યા-'પછી,તે ઋત્વિજે સોમકને તે (પુત્ર) જંતુથી યજ્ઞ કરાવવા માંડ્યો.પુત્ર પ્રત્યે દયાથી ભરાયેલી માતાઓ પોતાના તે પુત્રને બળપૂર્વક ખેંચી રાખવા લાગી ને કરણ સ્વરે કલ્પાંત કરવા લાગી.તે ચીસો પાડતી માતાઓ પાસેથી તે ઋત્વિજે,જંતુને ખેંચી,તેને કાપી નાખીને તેની ચરબીનો હોમ કરવા લાગ્યો.ત્યારે તેના વ્યાપેલા ધુમાડાની ગંધથી સર્વ માતાઓ વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડી.ને તે ધૂમાડાથી તેમને ગર્ભ રહ્યા.