Feb 9, 2024

Shri krishna govind hare murari-by Govind Bhargav-ગુજરાતી શબ્દો સાથે

Very Nice Bhajan - Dhoon



હમ હરિસાં લગન લગાયેંગે.
ચરનન મે પ્રીત લગાયેંગે.
રસિકન નકે સંગ બૈઠ બૈઠ 
હમ માધવકે ગુન ગાયેંગે,
કોમલ હિયે કયું ના પીગલે વો,
જબ રો રો કે વ્યથા સુનાયેંગે,
એક દિન તો કરુણા કરકે,
કરુણાનિધિ દોડ આયેંગે.
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નથ નારાયણ વાસુદેવા.....

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

ભૂલ કોની?-By-અનિલ શુક્લ

 

ઉધાર લીધો પંખીનો કંઠ,સાંભળાવવા તેં તારા મધુર સંગીતને,

ફૂલમાં વસી રહ્યો તું,દર્શાવ્યું તારું રૂપ,ને આકર્ષણ કર્યું રૂપથી, 


નયન બનીને,નયનોથી જ તો કર્યું હતું,તેં તારા સંગનું નિમંત્રણ,

પણ,અસંગ બની,સમાધિમાં બંધ કર્યા નયનો,તો ભૂલ કોની?


તારી જ બનાવેલી માયામાં તો તું વસી રહ્યો જ હતો ને પ્રભુ ?

પીઠ ફેરવી લીધી ને ના સાંભળી તારી પુકારને,તો ભૂલ કોની?


અનિલ 

ઓગસ્ટ,12,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-421

 

અધ્યાય-૧૨૮-સોમકને સો પુત્રોની પ્રાપ્તિ ને પાપનું ફળ 


II सोमक उवाच II ब्रह्मन्यद्यद्ययाकार्य तत्कुरुष्व तथा तथा I पुत्रकामतया सर्व करिष्यामि वचस्तव II १ II

સોમક બોલ્યો-'હે બ્રહ્મન,જે જે કર્મ જેમ કરવાનું હોય તે કર્મ તે પ્રમાણે કરો.

પુત્રની ઈચ્છાથી હું તમારું સઘળું કહેલું કરીશ.

લોમશ બોલ્યા-'પછી,તે ઋત્વિજે સોમકને તે (પુત્ર) જંતુથી યજ્ઞ કરાવવા માંડ્યો.પુત્ર પ્રત્યે દયાથી ભરાયેલી માતાઓ પોતાના તે પુત્રને બળપૂર્વક ખેંચી રાખવા લાગી ને કરણ સ્વરે કલ્પાંત કરવા લાગી.તે ચીસો પાડતી માતાઓ પાસેથી તે ઋત્વિજે,જંતુને ખેંચી,તેને કાપી નાખીને તેની ચરબીનો હોમ કરવા લાગ્યો.ત્યારે તેના વ્યાપેલા ધુમાડાની ગંધથી સર્વ માતાઓ વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડી.ને તે ધૂમાડાથી તેમને ગર્ભ રહ્યા.

Feb 8, 2024

Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા




ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
મથુરાના રાજા થ્યા છો-ગોવાળોને ભૂલી ગ્યા છો-માનીતી ને મ્હોલે(મહેલે) ગ્યા છો,,ઓધાજી...

બેમુકામ-By-અનિલ શુક્લ

 

ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ 

હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.


હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,

પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ, 


અનિલ 

8-15-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com