Feb 8, 2024

Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા




ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
મથુરાના રાજા થ્યા છો-ગોવાળોને ભૂલી ગ્યા છો-માનીતી ને મ્હોલે(મહેલે) ગ્યા છો,,ઓધાજી...

બેમુકામ-By-અનિલ શુક્લ

 

ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ 

હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.


હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,

પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ, 


અનિલ 

8-15-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-420

 

અધ્યાય-૧૨૭-જંતુનું આખ્યાન 


II युधिष्ठिर उवाच II कथं वीर्यः राजाSभुत्सोमको वदतां वर I कर्माण्यस्य प्रभावं च श्रोतुमिच्छामि तत्वतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'તે સોમક રાજા કેવો પરાક્રમી હતો?હું એનાં કાર્યો તથા એના પ્રભાવને યથાર્થ સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'ત્યારે સોમક નામે એક ધાર્મિક રાજા હતો,તેને એકસરખી સો પત્નીઓ હતી.તેને લાંબા સમય સુધી તે સ્ત્રીઓથી એકે પુત્ર થયો નહોતો.પણ તે વૃદ્ધ થયો ત્યારે યત્ન કરતાં તેને  જંતુ નામે એક પુત્ર જન્મ્યો હતો,

.તેથી તે સર્વ માતાઓ સર્વ કામ છોડીને તે જંતુને વીંટાઇને બેસી રહેતી હતી.

Feb 7, 2024

ઍંધાણ-By-અનિલ શુક્લ

 

હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,

શું તારા આગમનના એ ઍંધાણ છે?


થડકાટ દિલનો શાંત થતો,અનિલ,

શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?


કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,

નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.


(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)

અનિલ 

8-25-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-419

 

અધ્યાય-૧૨૬-માંધાતાનું ચરિત્ર 


II युधिष्ठिर उवाच II मांधाता राजशार्दूलस्रिपु लोकेषु विश्रुतः I कथं जातो महाब्रह्मन् यौवनाश्वो नृपोत्तमः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબ્રાહ્મણ,ત્રણે લોકોમાં વિખ્યાત અને રાજાઓમાં સિંહ સમાન એ રાજેન્દ્ર માંધાતા,કેવી રીતે યુવનાશ્વનો પુત્ર થયો? વળી,જે મહાત્માને વિષ્ણુની જેમ ત્રણે લોક વશ હતા,તે કેવી રીતે જન્મ પામ્યો હતો?

તેનું નામ માંધાતા શાથી પડ્યું હતું? તેનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું,તમે આ કહેવામાં કુશળ છો.