અધ્યાય-૧૨૭-જંતુનું આખ્યાન
II युधिष्ठिर उवाच II कथं वीर्यः राजाSभुत्सोमको वदतां वर I कर्माण्यस्य प्रभावं च श्रोतुमिच्छामि तत्वतः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'તે સોમક રાજા કેવો પરાક્રમી હતો?હું એનાં કાર્યો તથા એના પ્રભાવને યથાર્થ સાંભળવા ઈચ્છું છું'
લોમશ બોલ્યા-'ત્યારે સોમક નામે એક ધાર્મિક રાજા હતો,તેને એકસરખી સો પત્નીઓ હતી.તેને લાંબા સમય સુધી તે સ્ત્રીઓથી એકે પુત્ર થયો નહોતો.પણ તે વૃદ્ધ થયો ત્યારે યત્ન કરતાં તેને જંતુ નામે એક પુત્ર જન્મ્યો હતો,
.તેથી તે સર્વ માતાઓ સર્વ કામ છોડીને તે જંતુને વીંટાઇને બેસી રહેતી હતી.