Feb 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-414

 

અધ્યાય-૧૨૧-ગયરાજાના યજ્ઞનું વર્ણન 


II लोमश उवाच II नृगेण यजमानेन सोमेनेह पुरन्दरः I तर्पितः श्रयते राजन्स तृप्तो मुदमम्ययात II १ II

લોમશ બોલ્યા-હે રાજન,સાંભળ્યું છે કે યજ્ઞ કરતા નૃગે આ સ્થળે ઇન્દ્રને સોમપાનથી તૃપ્ત કર્યો હતો,કે જેથી તે આનંદ પામ્યો હતો.વળી,આ સ્થળે ઇન્દ્ર સહિત સર્વ દેવોએ ને પ્રજાપતિઓએ અનેકવિધ યજ્ઞો કર્યા હતા.

અહીં જ અમૂર્તરયસ ના પુત્ર ગયરાજાએ,સાત અશ્વમેઘ યજ્ઞોમાં સોમપાનથી ઇન્દ્રને તૃપ્ત કર્યા હતા.

Feb 1, 2024

Where is Happiness and peace? Gujarati-સુખ અને શાંતિ ક્યાં છે ?

સહુ પ્રથમ તો,સુખ અને શાંતિ એટલે શું?
તેનો જો ગંભીરપણે કે ઊંડા વિચારથી સમજવા પ્રયત્ન કરીએ તો ...

સુખ અને શાંતિની આડે જે અવરોધો આવે છે
તે જ આપણને સુખ અને શાંતિથી દૂર રાખે છે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-413

 

અધ્યાય-૧૨૦-સાત્યકિનું ભાષણ 


II सात्यकिउवाच II 

न राम कालः परिदेवनाय यदुत्तरंत्वश्व तदेव सर्वे I समाचरामो ह्वनितकालं युधिष्ठिरो यद्यपि नः किंचित् II १ II

સાત્યકિ બોલ્યો-'હે રામ,આ વખત શોક કરવાનો નથી.આ યુધિષ્ઠિર તો કશું કહેતા નથી,છતાં હવે પછી જે કરવા યોગ્ય છે તે આપણે સૌએ વખત ગુમાવ્યા વગર કરી નાખવું જોઈએ.જેઓ આ લોકમાં પાલનહાર છે તેઓ પોતે કાર્યનો આરંભ કરતા નથી.જેમ,શિબિ રાજાએ યયાતિનાં કાર્યો કર્યાં હતાં,તેમ તે પાલનકર્તાઓ જ તેમનાં કાર્યો કરી દે છે.વળી,આ લોકમાં પાલનકર્તાઓ સ્વમતથી જેમનાં કાર્યો કરે છે,તે સનાથ પુરુષવીરો અનાથની જેમ કષ્ટ ભોગવતા નથી.આપણે સર્વ હોવા છતાં,યુધિષ્ઠિરે શા માટે વનવાસ કરવો પડે છે?(4)

Jan 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-412

અધ્યાય-૧૧૯-બલરામનાં વચનો 


II जनमेजय उवाच II प्रभासतीर्थमासाद्य पांडवा युष्ण्यस्तथा I किं कुर्वन्कथाश्चैषां कास्तत्रासंस्तपोधन II १ II

જન્મેજય બોલ્યા-'હે તપોધન,પાંડવો ને યાદવોએ પ્રભાસતીર્થમાં શું કર્યું?એમની વચ્ચે શી વાતો થઇ?

કારણકે યાદવો અને પાંડવો,સર્વ શાસ્ત્રોમાં કુશળ,વીર અને પરસ્પર મિત્રતા ધરાવે છે.

વૈશંપાયન બોલ્યા-'મહાસાગરના કિનારે,પ્રભાસમાં આવીને યાદવો,પાંડવોને વીંટાઇને બેઠા હતા 

ત્યારે ઉજ્જવળ કાંતિવાળા,હળધર બલરામ,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-

Jan 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-411

 

અધ્યાય-૧૧૭-પરશુરામે કરેલો ક્ષત્રિયોનો સંહાર 

II राम उवाच II ममापराद्यातैः क्षुद्रैर्हतस्त्वं तात बालिशैः I कार्तवीर्यस्य दायादैर्वने मृग इवेपुभिः II १ II

રામ બોલ્યા-'હે પિતા,જેમ,વનમાં પારધીઓ મૃગને મારે છે તેમ તે કાર્તવીર્યના નીચ ને મૂર્ખ પુત્રોએ તમને મારા અપરાધને લીધે મારી નાખ્યા છે.હે પિતા,સન્માર્ગે વર્તનારા અને પ્રાણીમાત્ર તરફ નિર્દોષ વર્તન રાખનારા તમને ધર્મવેત્તાને આવું મોત ક્યાંથી યોગ્ય હોઈ શકે? તપમાં રહેલા ને સામે ન લડતા એવા વૃદ્ધને સેંકડો બાણોથી જેને હણ્યા છે તેણે શું પાપ નથી કર્યું?' આ પ્રમાણે અનેક રીતે કરુણ વિલાપ કરીને,તેમણે પોતાના પિતાને અગ્નિદાહ આપી ને પિતાનાં સર્વ પ્રેતકાર્યો કર્યાં.પછી સર્વ ક્ષત્રિયોનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી (6)