અધ્યાય-૧૧૯-બલરામનાં વચનો
II जनमेजय उवाच II प्रभासतीर्थमासाद्य पांडवा युष्ण्यस्तथा I किं कुर्वन्कथाश्चैषां कास्तत्रासंस्तपोधन II १ II
જન્મેજય બોલ્યા-'હે તપોધન,પાંડવો ને યાદવોએ પ્રભાસતીર્થમાં શું કર્યું?એમની વચ્ચે શી વાતો થઇ?
કારણકે યાદવો અને પાંડવો,સર્વ શાસ્ત્રોમાં કુશળ,વીર અને પરસ્પર મિત્રતા ધરાવે છે.
વૈશંપાયન બોલ્યા-'મહાસાગરના કિનારે,પ્રભાસમાં આવીને યાદવો,પાંડવોને વીંટાઇને બેઠા હતા
ત્યારે ઉજ્જવળ કાંતિવાળા,હળધર બલરામ,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-