Jan 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-410

 

અધ્યાય-૧૧૬-પરશુરામ ચરિત્ર અને જમદગ્નિનો વધ 


II अकृतव्रण उवाच II स वेदाध्ययने युक्तो जम्दग्निर्महातप: I तपस्तेपे ततो वेदान्नियमाद्वशमानयत II १ II

અકૃતવ્રણ બોલ્યા-'વેદના અધ્યયનમાં પરાયણ અને મહાતપસ્વી એવા તે જમદગ્નિએ તપ કર્યું ને નિયમપૂર્વક વેદોને વશ કર્યા.પછી,તેણે પ્રસેનજીત રાજા પાસે જઈને તેની દીકરી રેણુકાની માગણી કરી,એટલે તે રાજાએ તેમને પોતાની દીકરી પરણાવી.રેણુકાને પત્ની તરીકે પામીને તે ભાર્ગવનંદન આશ્રમવાસી થઇ પત્ની સાથે તપ કરવા લાગ્યા.તે રેણુકાને પાંચ પુત્રો જન્મ્યા.એ સૌ પુત્રોમાં પરશુરામ સહુથી નાના હતા પણ ગુણમાં સહુથી શ્રેષ્ઠ હતા(4)

(નોંધ-આગળ કહ્યા મુજબ,સત્યવતીના આ પૌત્ર,ભૃગુઋષિના વચન મુજબ ક્ષત્રિયવૃત્તિના થયા હતા !!)

Jan 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-409

 

અધ્યાય-૧૧૫-પરશુરામ ચરિત્રનો આરંભ 


II वैशंपायन उवाच II स तत्र तमुपित्वकां रजनीं पृथिवीपतिः I तापसानां परम् चक्रे सत्कारं भ्रातृभिः सः II १ II

વૈશંપાયન બોલ્યા-'તે પૃથ્વીપતિ યુધિષ્ઠિરે ભાઈઓ સાથે ત્યાં મહેન્દ્રાચળ પર્વત પર મુકામ કરીને ત્યાંના તપસ્વીઓનો પરમ સત્કાર કર્યો.ત્યાં લોમશે યુધિષ્ઠિરને ભૃગુ,અંગિરા,વસિષ્ઠ અને કશ્યપના તે સર્વ તપસ્વીઓ વિષે કહ્યું.એટલે રાજર્ષિએ તેમની પાસે જઈને તેમને પ્રણામપૂર્વક અભિનંદન કર્યાં અને પરશુરામના અનુચર વીર અકૃતવ્રણને પૂછ્યું કે-'ભગવાન પરશુરામ ક્યારે દર્શન આપશે? હું તે ભાર્ગવનાં દર્શન કરવા ઈચ્છું છું' (4)

Jan 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-408

 

અધ્યાય-૧૧૪-વૈતરણી ને વેદીનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II ततः प्रयातः कौशिक्याः पांडवो जनमेजय I आनुपुच्येण सर्वाणि जगाप्रायातनान्यथ II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી પાંડવો કૌશીકીથી નીકળીને અનુક્રમે સર્વ તીર્થોએ ગયા.

તે ગંગાસાગરના સંગમે આવ્યા ને ત્યાં તેમણે પાંચસો નદીઓની મધ્યમાં સ્નાન કર્યું,

ને ત્યાંથી યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે સમુદ્રના કિનારે કિનારે કલિંગ તરફ ગયા. 

Jan 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-407

અધ્યાય-૧૧૩-વેશ્યાઓ સાથે ઋષ્યશૃંગનું પ્રયાણ 


II विभांडक उवाच II 

रक्षांसि चैतानि चरितं पुत्र रूपेण तेनाद्भुतदर्शनेन I अतुल्यविर्याण्यभि रूपवती विघ्नं सदा तपसश्वितयन्ति II १ II

વિભાંડક (કાશ્યપ)બોલ્યા-બેટા,રાક્ષસો આવાં અદભુત દર્શનવાળું રૂપ લઈને ઘૂમે છે.અતુલ પરાક્રમવાળા અને રૂપવાન એવા તે રાક્ષસો હંમેશાં તપમાં વિઘ્ન નાખવાનું કાર્ય કરે છે.તેઓ મુનિઓને વિવિધ ઉપાયોથી લોભાવી ને ઉત્તમલોકથી ભ્રષ્ટ કરે છે.માટે ઉત્તમલોકની ઈચ્છા રાખનારા સ્થિર મન વાળા મુનિએ ક્યારે ય એ રાક્ષસોની સેવા કરવી નહિ કે તેમની સામે જોવું પણ નહિ.હે પુત્ર,જે પીણાં તેં પીધાં છે,તે તો સજ્જનોએ નહિ પીવા યોગ્ય મદ્યો છે.વળી આ જે સુગંધથી મહેકતી ફુલમાળાઓ છે તે મુનિજનો માટે શાસ્ત્ર વિરુદ્ધ છે.તેઓ તો રાક્ષસો છે.