અધ્યાય-૧૧૩-વેશ્યાઓ સાથે ઋષ્યશૃંગનું પ્રયાણ
II विभांडक उवाच II
रक्षांसि चैतानि चरितं पुत्र रूपेण तेनाद्भुतदर्शनेन I अतुल्यविर्याण्यभि रूपवती विघ्नं सदा तपसश्वितयन्ति II १ II
વિભાંડક (કાશ્યપ)બોલ્યા-બેટા,રાક્ષસો આવાં અદભુત દર્શનવાળું રૂપ લઈને ઘૂમે છે.અતુલ પરાક્રમવાળા અને રૂપવાન એવા તે રાક્ષસો હંમેશાં તપમાં વિઘ્ન નાખવાનું કાર્ય કરે છે.તેઓ મુનિઓને વિવિધ ઉપાયોથી લોભાવી ને ઉત્તમલોકથી ભ્રષ્ટ કરે છે.માટે ઉત્તમલોકની ઈચ્છા રાખનારા સ્થિર મન વાળા મુનિએ ક્યારે ય એ રાક્ષસોની સેવા કરવી નહિ કે તેમની સામે જોવું પણ નહિ.હે પુત્ર,જે પીણાં તેં પીધાં છે,તે તો સજ્જનોએ નહિ પીવા યોગ્ય મદ્યો છે.વળી આ જે સુગંધથી મહેકતી ફુલમાળાઓ છે તે મુનિજનો માટે શાસ્ત્ર વિરુદ્ધ છે.તેઓ તો રાક્ષસો છે.