Jan 23, 2024
Jan 22, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-402
અધ્યાય-૧૦૮-ભગીરથનો પ્રયત્ન
II लोमश उवाच II स तु राजा महेष्वासश्चक्रवर्ती महारथः I बभूव सर्वलोकस्य मनोनयननंदनः II १ II
લોમશ બોલ્યા-મહાચાપધારી,ચક્રવર્તી અને મહારથી એવો તે ભગીરથ રાજા,સર્વલોકોનાં મન અને નયનને આનંદકારી થયો.તે મહાબાહુએ સાંભળ્યું કે પોતાના પિતૃઓ કપિલના ક્રોધ વડે ઘોર મૃત્યુ પામ્યા છે અને તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઇ નથી ત્યારે તેના હૃદયને દુઃખ થયું અને તે મંત્રીઓને રાજ્ય સોંપીને હિમાલયની પાડોશમાં તપ કરવા ગયો.તપથી પાપમુક્ત થયેલા અને ગંગાની આરાધના કરવા ઇચ્છતા તે રાજાએ હિમાલયને જોયો.(4)
Jan 20, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-401
અધ્યાય-૧૦૭-સગરના સાઠ હજાર પુત્રો બળી ગયા
II लोमश उवाच II एतच्छ्रुत्वांतरिक्षाय स राजा राजसत्तमः I यथोक्तं तद्यकाराय श्रदवय भरतर्षभ II १ II
લોમશ બોલ્યા-'હે ભરતસિંહ,રાજશ્રેષ્ઠ તે રાજાએ આ અંતરિક્ષવાણી સાંભળીને,તે વિષે શ્રદ્ધા રાખી,તેના કહ્યા પ્રમાણે કર્યું.પુત્રરક્ષણ માટે તત્પર રહેલા એણે તે દરેક માટે એકએક ધાવ રાખી.ને રુદ્રની કૃપાથી લાંબા સમયે તેને સાઠ હજાર પુત્રો થયા.તે પુત્રો ભયંકર,ક્રૂરકર્મી અને આકાશમાં દોડનારા હતા,ને અનેક હોવાથી તેઓ દેવો સહિત સર્વ લોકોની અવજ્ઞા કરતા હતા.મંદબુદ્ધિવાળા તે સગરપુત્રોથી પીડાઈ રહેલા સર્વ દેવો બ્રહ્માને શરણે ગયા.
Jan 19, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-400
અધ્યાય-૧૦૬-સગરની સંતતિનું કથન
II लोमश उवाच II तानुवाच समेतांस्तु ब्रह्मा लोकपितामहः I गच्छध्वं विवुधा सर्वे यथाकामं यथेप्सितम् II १ II
લોમશ બોલ્યા-લોકના પિતામહ બ્રહ્માએ એકઠા થયેલા દેવોને કહ્યું કે-'હે દેવો,તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા સ્થાને જાઓ.લાંબા કાળયોગે અને જાતિને નિમિત્તરૂપ કરીને મહારાજા ભગીરથથી એ સમુદ્ર પોતાની અસલ સ્થિતિને પામશે' બ્રહ્માનાં વચન સાંભળી,સર્વ દેવો સમયની રાહ જોતા જોતા પોતાના સ્થાને પાછા ફર્યા.(3)
Jan 18, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-399
અધ્યાય-૧૦૫-અગસ્ત્યે સમુદ્રપાન કર્યું
II लोमश उवाच II समुद्रं स समासाद्य वारुणिर्भगवान नृपिः I उवाच सहितान्देवानृपाश्रैव समामतान् II १ II
લોમશ બોલ્યા-'સમુદ્ર પર આવીને તે વારુણિ ઋષિએ ત્યાં એકઠા થયેલા દેવો ને ઋષિઓને કહ્યું કે-
'લોકહિતાર્થે આ જલનિધિનું હું પાન કરું છું તેથી (પછી) તમારે જે કરવા યોગ્ય હોય તે તરત જ કરો' આમ કહીને અગસ્ત્યે સૌ લોકોના દેખાતા સમુદ્રને પીવા માંડ્યો.તે જોઈને દેવો આશ્ચર્ય પામ્યા ને તેમને સ્તુતિઓથી પૂજવા લાગ્યા 'હે લોકપાલક,તમે અમારા રક્ષણ કરનાર છો અને તમારી કૃપાથી જ દેવો સાથેનું આ જગત ઉચ્છેદ પામતું નથી'
ત્યારે દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને અગસ્ત્યે તે મહાસાગરને જળ વિનાનો કર્યો.(6)