Jan 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-401

 

અધ્યાય-૧૦૭-સગરના સાઠ હજાર પુત્રો બળી ગયા 


II लोमश उवाच II एतच्छ्रुत्वांतरिक्षाय स राजा राजसत्तमः I यथोक्तं तद्यकाराय श्रदवय भरतर्षभ II १ II

લોમશ બોલ્યા-'હે ભરતસિંહ,રાજશ્રેષ્ઠ તે રાજાએ આ અંતરિક્ષવાણી સાંભળીને,તે વિષે શ્રદ્ધા રાખી,તેના કહ્યા પ્રમાણે કર્યું.પુત્રરક્ષણ માટે તત્પર રહેલા એણે તે દરેક માટે એકએક ધાવ રાખી.ને રુદ્રની કૃપાથી લાંબા સમયે તેને સાઠ હજાર પુત્રો થયા.તે પુત્રો ભયંકર,ક્રૂરકર્મી અને આકાશમાં દોડનારા હતા,ને અનેક હોવાથી તેઓ દેવો સહિત સર્વ લોકોની અવજ્ઞા કરતા હતા.મંદબુદ્ધિવાળા તે સગરપુત્રોથી પીડાઈ રહેલા સર્વ દેવો બ્રહ્માને શરણે ગયા.

Jan 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-400

 

અધ્યાય-૧૦૬-સગરની સંતતિનું કથન 


II लोमश उवाच II तानुवाच समेतांस्तु ब्रह्मा लोकपितामहः I गच्छध्वं विवुधा सर्वे यथाकामं यथेप्सितम् II १ II

લોમશ બોલ્યા-લોકના પિતામહ બ્રહ્માએ એકઠા થયેલા દેવોને કહ્યું કે-'હે દેવો,તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા સ્થાને જાઓ.લાંબા કાળયોગે અને જાતિને નિમિત્તરૂપ કરીને મહારાજા ભગીરથથી એ સમુદ્ર પોતાની અસલ સ્થિતિને પામશે' બ્રહ્માનાં વચન સાંભળી,સર્વ દેવો સમયની રાહ જોતા જોતા પોતાના સ્થાને પાછા ફર્યા.(3)

Jan 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-399

 

અધ્યાય-૧૦૫-અગસ્ત્યે સમુદ્રપાન કર્યું 


II लोमश उवाच II समुद्रं स समासाद्य वारुणिर्भगवान नृपिः I उवाच सहितान्देवानृपाश्रैव समामतान् II १ II

લોમશ બોલ્યા-'સમુદ્ર પર આવીને તે વારુણિ ઋષિએ ત્યાં એકઠા થયેલા દેવો ને ઋષિઓને કહ્યું કે-

'લોકહિતાર્થે આ જલનિધિનું હું પાન કરું છું તેથી (પછી) તમારે જે કરવા યોગ્ય હોય તે તરત જ કરો' આમ કહીને અગસ્ત્યે સૌ લોકોના દેખાતા સમુદ્રને પીવા માંડ્યો.તે જોઈને દેવો આશ્ચર્ય પામ્યા ને તેમને સ્તુતિઓથી પૂજવા લાગ્યા 'હે લોકપાલક,તમે અમારા રક્ષણ કરનાર છો અને તમારી કૃપાથી જ દેવો સાથેનું આ જગત ઉચ્છેદ પામતું નથી'

ત્યારે દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને અગસ્ત્યે તે મહાસાગરને જળ વિનાનો કર્યો.(6)

Jan 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-398

 

અધ્યાય-૧૦૪-વિંધ્યને અગસ્ત્યે વધતો રોક્યો 


II युधिष्ठिर उवाच II किमर्थ सहसा विन्ध्यः प्रपुद्वः क्रोधमुर्छित: I एतदिच्छाम्यहं श्रोतुं विस्तरेण महामुने II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિ,શા માટે વિંધ્યાચલ પર્વત ક્રોધી બનીને એકદમ વધી રહ્યો હતો? તે સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'સૂર્ય,ઉદય ને અસ્ત સમયે પર્વતોના રાજા એવા સુવર્ણમય મેરુપર્વતની પ્રદિક્ષણા કરતા હતા,એ જોઈને વિંધ્યાચલે સૂર્યને કહ્યું કે-'હે ભાસ્કર,તમે જેમ મેરુની પ્રદિક્ષણા કરો છો તેમ મારી પણ પ્રદિક્ષણા કરો'

સૂર્યે જવાબ આપ્યો કે-'હું કોઈ મારી ઈચ્છાથી એ મહાગિરીની પ્રદિક્ષણા કરતો નથી,જેમણે આ જગત બનાવ્યું છે તેમણે જ મને આ માર્ગ બતાવ્યો છે' સૂર્યના જવાબથી વિંધ્યને ક્રોધ ચઢી આવ્યો અને એકદમ વધીને સૂર્યનો માર્ગ રોકવાની ઈચ્છા કરવા લાગ્યો.ત્યારે સર્વ દેવો એકઠા થઈને વિંધ્ય પાસે ગયા,પણ તેણે તેમનું વચન ગણકાર્યું નહિ.

એટલે દેવો અગસ્ત્ય પાસે ગયા ને બોલ્યા કે-'હે દ્વિજોત્તમ,વિંધ્ય ક્રોધને વશ થઈને સૂર્યની ગતિ રોકવા ઈચ્છે છે,

તેને અટકાવવા તમારા સિવાય કોઈ સમર્થ નથી તો હે મહાભાગ,તમે એને રોકો'

Jan 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-397

 

અધ્યાય-૧૦૩-અગસ્ત્યનું માહાત્મ્ય 


II देवा उचु II तव प्रसादाद्वयते प्रजाः सर्वाश्चतुर्विधाः I त भविता भावयन्ति हव्यकव्यैर्दिवोकस II १ II

દેવો બોલ્યા-'તમારી કૃપાથી ચારે પ્રકારની સર્વ પ્રજાઓ વધે છે.વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ હવ્યો ને દ્રવ્યોથી દેવોની

વૃદ્ધિ કરે છે.આમ તમારી કૃપાથી જ રક્ષાયેલા લોકો એકબીજાને આશરે રહીને વૃદ્ધિ પામે છે.પણ અત્યારે લોકોને

ભારે ભય આવી પડ્યો છે.અમારાથી સમજાતું નથી કે આ બ્રાહ્મણોને રાતે કોણ મારી નાખે છે?

બ્રાહ્મણોનો નાશ થતાં પૃથ્વી લય પામશે,ને પૃથ્વી ક્ષીણ થતાં સ્વર્ગ પણ લય પામશે.માટે 

હે મહાબાહુ,હે જગત્પતિ,તમે સર્વ લોકોનું રક્ષણ કરો,તમારી કૃપાથી જ તેઓ વિનાશ પામશે નહિ (5)