Jan 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-396

 

અધ્યાય-૧૦૨-કાલેય દૈત્યોનાં કાળાં કર્મ-તથા વિષ્ણુની સ્તુતિ 


II लोमश उवाच II समुद्रं ते समाश्रित्य वरुणं निधिर्ममस: I कालेयाः संप्रवर्तते त्रैलोक्यस्य विनाशने II १ II

લોમશ બોલ્યા-'જલનિધિ સાગરમાં ભરાઈને તે કાલેયો ત્રણે લોકનો વિનાશ કરવા લાગ્યા.અત્યંત કોપેલ તે દૈત્યો આશ્રમો ને પુણ્યધામોમાં જે જે મુનિઓ હતા તેમને રાતે ખાઈ જતા હતા.વસિષ્ઠના આશ્રમના એકસો સત્તાણું,ચ્યવનના આશ્રમના સો ને ભરદ્વાજ આદિના આશ્રમમાંથી અનેક બ્રાહ્મણોને તેઓ ખાઈ ગયા હતા.

આ રીતે પોતાના બાહુબળથી મસ્ત થયેલા તે કાલેય દાનવો રાત્રે સર્વ આશ્રમવાસીઓને દુઃખ દેતા ને અનેક બ્રાહ્મણોને મારી નાખતા હતા.તે દૈત્યોને કોઈ માનવી ઓળખી શકતો નહોતો.કેમકે સવાર થતા સુધી તો તેઓ સમુદ્રમાં જઈ સંતાઈ જતા હતા.કાલેયોના ભયથી પીડાયેલા આ જગતમાં વેદાધ્યયન ન રહ્યું,વષટ્કાર ન રહ્યો,યજ્ઞોત્સવની ક્રિયા ના રહી ને ઉત્સાહ પણ ન રહ્યો.ભયભીત થઈને માનવો જુદીજુદી દિશાઓમાં દોડીને 

સંતાવા લાગ્યા.કેટલાક ધનુર્ધારીઓએ તે દૈત્યોને ખોળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ થાકીને તેઓ પાછા વળ્યા.

Jan 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-395

 

અધ્યાય-૧૦૧-વૃત્રવધ 


II लोमश उवाच II ततः स वज्रौ बलिभिर्दैवतैरभिरक्षिता: I आससाद ततो वृत्रं स्थितमावृत्य रोदसी II १ II

લોમશ બોલ્યા-'પછી બળવાન દેવોથી ચોતરફ રક્ષાયેલો ઇન્દ્ર,ત્યાં પૃથ્વી ને આકાશને ઘેરી ઉભેલા વૃત્ર પાસે આવ્યો.તે વખતે તે વૃત્ર મહાભયંકર કાલકેયોથી ચારે તરફથી સુરક્ષિત હતો.પછી બે ઘડી સુધી દેવો ને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું.પરિઘ નામના હથિયારો લઈને અને સુવર્ણનાં કવચ સજીને કાલેયો,દેવો પર ધસવા લાગ્યા.

અભિમાનપૂર્વક દોડી રહેલા તે વેગવાનોના વેગને દેવો જીરવી શક્યા નહિ અને ભયભીત થઇ નાસવા લાગ્યા.

એ જોઈને ઇન્દ્ર ભયભીત થયી ગયો ને તરત જ  નારાયણ પ્રભુને શરણે ગયો (7)

Jan 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-394

 

અધ્યાય-૧૦૦-વજ્ર નિર્માણ 


II युधिष्ठिर उवाच II भूय एवादमिच्छामि महर्षेस्तस्य धीमतः I कर्मणां विस्तरं श्रोतुमगस्तस्य द्विजोत्तम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજોત્તમ,તે અગસ્ત્ય મહર્ષિનાં કર્મોના વિસ્તારને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું.

લોમશ બોલ્યા-'હાઈ મહારાજ,અમાપ તેજસ્વી અગસ્ત્યનો પ્રભાવ અને તેમની દિવ્ય,અદભુત ને અમાનુષી કથા તમે સાંભળો.સત્યયુગમાં ભયંકર,દુષ્ટ મદવાળા ને અત્યંત દારુણ કર્મ કરનારા કાલકેય નામે પ્રસિદ્ધ દાનવો હતા.

વિવિધ આયુધોથી સજ્જ થયેલા તેઓ વૃત્રનો આશ્રય લઈને ઇન્દ્ર આદિ દેવો પર ચારે બાજુથી ધસતા હતા.(4)

Jan 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-393

 

અધ્યાય-૯૯-પરશુરામના તેજની હાનિ 


II लोमश उवाच II इल्वलस्तान्विदित्वा तु महर्षिसहितानृपान I उपस्थितान्सहामात्यो विपयांते हृपूजयत II १ II

લોમશ બોલ્યા-મહર્ષિ સાથે રાજાઓને આવેલા જાણીને ઇલ્વલ,પોતાના અમાત્ય સાથે દેશની સીમા ગયો ને 

મહેલમાં લાવી તેમની પૂજા કરી,પોતાના ભાઈ વાતાપિના બકરા સ્વરૂપને કાપી,રાંધીને તે વડે તેમનું આતિથ્ય કર્યું.

બકરારૂપ વાતાપિને રંધાયેલો જોઈને રાજર્ષિઓ ખિન્ન થયા ત્યારે અગસ્ત્યે સર્વને કહ્યું કે-'ખેદ ન કરો,તે અસુરને હું આખો ને આખો ખાઈ જઈશ' એમ કહી તે વાતાપિને ખાઈ ગયા.તે જમી રહ્યા એટલે ઇલ્વલ અસુરે વાતાપિને 

બૂમ મારી,ત્યારે,તે મહાત્માના શરીરમાંથી મેઘની જેમ ગર્જતો અપાનવાયુ છૂટ્યો.(7)

Jan 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-392

 

અધ્યાય-૯૮-અગસ્ત્યનું ધન મેળવવા જવું 


II लोमश उवाच II ततो जगाम कौरव्य सोSगस्त्यो मिक्षितुं वसु I श्रुतर्वाण महीपालं वेदभ्यधिकं नृपैः II १ II

લોમશ બોલ્યા-હે કૌરવ્ય,તે પછી,અગસ્ત્ય,પોતે જે રાજાને અધિક જાણતા હતા તેવા શ્રુતર્વા રાજા પાસે ધનની યાચના કરવા ગયા.અગસ્ત્યને આવેલા જોઈને,તે રાજા દેશની સીમા સુધી સામો ગયો અને તેમને સત્કારપૂર્વક તેડી લાવી,તેમનું યથાશાસ્ત્ર પૂજન કર્યા પછી,બે હાથ જોડી સ્વસ્થ થઈને તેમને આવવાનું પ્રયોજન પૂછ્યું.

અગત્સ્ય બોલ્યા-'હું ધનને અર્થે અહીં આવ્યો છું,બીજાને પીડા આપ્યા વિના તું મને યથાશક્તિ ધન આપ'