Jan 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-393

 

અધ્યાય-૯૯-પરશુરામના તેજની હાનિ 


II लोमश उवाच II इल्वलस्तान्विदित्वा तु महर्षिसहितानृपान I उपस्थितान्सहामात्यो विपयांते हृपूजयत II १ II

લોમશ બોલ્યા-મહર્ષિ સાથે રાજાઓને આવેલા જાણીને ઇલ્વલ,પોતાના અમાત્ય સાથે દેશની સીમા ગયો ને 

મહેલમાં લાવી તેમની પૂજા કરી,પોતાના ભાઈ વાતાપિના બકરા સ્વરૂપને કાપી,રાંધીને તે વડે તેમનું આતિથ્ય કર્યું.

બકરારૂપ વાતાપિને રંધાયેલો જોઈને રાજર્ષિઓ ખિન્ન થયા ત્યારે અગસ્ત્યે સર્વને કહ્યું કે-'ખેદ ન કરો,તે અસુરને હું આખો ને આખો ખાઈ જઈશ' એમ કહી તે વાતાપિને ખાઈ ગયા.તે જમી રહ્યા એટલે ઇલ્વલ અસુરે વાતાપિને 

બૂમ મારી,ત્યારે,તે મહાત્માના શરીરમાંથી મેઘની જેમ ગર્જતો અપાનવાયુ છૂટ્યો.(7)

Jan 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-392

 

અધ્યાય-૯૮-અગસ્ત્યનું ધન મેળવવા જવું 


II लोमश उवाच II ततो जगाम कौरव्य सोSगस्त्यो मिक्षितुं वसु I श्रुतर्वाण महीपालं वेदभ्यधिकं नृपैः II १ II

લોમશ બોલ્યા-હે કૌરવ્ય,તે પછી,અગસ્ત્ય,પોતે જે રાજાને અધિક જાણતા હતા તેવા શ્રુતર્વા રાજા પાસે ધનની યાચના કરવા ગયા.અગસ્ત્યને આવેલા જોઈને,તે રાજા દેશની સીમા સુધી સામો ગયો અને તેમને સત્કારપૂર્વક તેડી લાવી,તેમનું યથાશાસ્ત્ર પૂજન કર્યા પછી,બે હાથ જોડી સ્વસ્થ થઈને તેમને આવવાનું પ્રયોજન પૂછ્યું.

અગત્સ્ય બોલ્યા-'હું ધનને અર્થે અહીં આવ્યો છું,બીજાને પીડા આપ્યા વિના તું મને યથાશક્તિ ધન આપ'

Jan 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-391

અધ્યાય-૯૭-લોપામુદ્રાનાં લગ્ન 


II लोमश उवाच II यदा त्वमन्यतामस्त्यो गार्हस्त्ये तां क्षमामिति I तदाSभिगम्य प्रोवाच वैदर्भ् प्रुथिवीपतिं II १ II

લોમશ બોલ્યા-'અગસ્ત્યને જયારે તે લોપામુદ્રા ગૃહસ્થાશ્રમને યોગ્ય થયેલી જણાઈ,ત્યારે તે વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા કે-'પુત્રોત્પાદન અર્થે મને લગ્ન કરવાની ઈચ્છા થઇ છે હું તમારી લોપામુદ્રાનું માગું કરું છું તમે મને તે આપો'

મુનિએ આમ કહ્યું ત્યારે રાજા બેભાન થઇ ગયો કેમ કે તે તેમને ના કહેવાને સમર્થ નહોતો,અને કન્યા આપવાની તેની ઈચ્છા નહોતી.પછી તે તેની પત્ની પાસે જઈને બોલ્યો કે-'આ ઋષિ સમર્થ છે ને તે જો ક્રોધ પામશે તો આપણને શાપાગ્નિથી બાળી મુકશે' માતપિતાને દુઃખી થયેલા જોઈને લોપામુદ્રાએ તેમને કહ્યું કે-'મારે માટે તમારે પીડા પામવાની જરૂર નથી તમે મને અગસ્ત્યને આપો ને મારા દાનથી તમારું રક્ષણ કરો (6)

Jan 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-390

 

અધ્યાય-૯૬-તીર્થયાત્રા-અગસ્ત્યનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः संप्रस्थितो राजा कौन्तेयो भ्रुरिदक्षिणः I अगस्त्याश्रममासाद्य दुर्जयायामुवास ह् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુષ્કળ દક્ષિણા આપવાવાળા કુંતીનંદન યુધિષ્ઠિર ત્યાંથી નીકળીને અગસ્ત્યના આશ્રમમાં ગયા.અને દુર્જેય મણિમતી નગરીમાં જઈ વસ્યા.ત્યાં ધર્મરાજે લોમશ મુનિને પૂછ્યું કે-'અહીં અગસ્ત્ય ઋષિએ રોષે ભરાઈ વાતાપિને શા માટે મારી નાખ્યો હતો?તે માનવભક્ષી દૈત્યનો શો પ્રભાવ હતો?(3)

HOME-INDEX

INDEX of all Pages of this website
Click on Blue links to see the title in detail
અનુક્રમણિકા