અધ્યાય-૯૯-પરશુરામના તેજની હાનિ
II लोमश उवाच II इल्वलस्तान्विदित्वा तु महर्षिसहितानृपान I उपस्थितान्सहामात्यो विपयांते हृपूजयत II १ II
લોમશ બોલ્યા-મહર્ષિ સાથે રાજાઓને આવેલા જાણીને ઇલ્વલ,પોતાના અમાત્ય સાથે દેશની સીમા ગયો ને
મહેલમાં લાવી તેમની પૂજા કરી,પોતાના ભાઈ વાતાપિના બકરા સ્વરૂપને કાપી,રાંધીને તે વડે તેમનું આતિથ્ય કર્યું.
બકરારૂપ વાતાપિને રંધાયેલો જોઈને રાજર્ષિઓ ખિન્ન થયા ત્યારે અગસ્ત્યે સર્વને કહ્યું કે-'ખેદ ન કરો,તે અસુરને હું આખો ને આખો ખાઈ જઈશ' એમ કહી તે વાતાપિને ખાઈ ગયા.તે જમી રહ્યા એટલે ઇલ્વલ અસુરે વાતાપિને
બૂમ મારી,ત્યારે,તે મહાત્માના શરીરમાંથી મેઘની જેમ ગર્જતો અપાનવાયુ છૂટ્યો.(7)