Jan 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-391

અધ્યાય-૯૭-લોપામુદ્રાનાં લગ્ન 


II लोमश उवाच II यदा त्वमन्यतामस्त्यो गार्हस्त्ये तां क्षमामिति I तदाSभिगम्य प्रोवाच वैदर्भ् प्रुथिवीपतिं II १ II

લોમશ બોલ્યા-'અગસ્ત્યને જયારે તે લોપામુદ્રા ગૃહસ્થાશ્રમને યોગ્ય થયેલી જણાઈ,ત્યારે તે વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા કે-'પુત્રોત્પાદન અર્થે મને લગ્ન કરવાની ઈચ્છા થઇ છે હું તમારી લોપામુદ્રાનું માગું કરું છું તમે મને તે આપો'

મુનિએ આમ કહ્યું ત્યારે રાજા બેભાન થઇ ગયો કેમ કે તે તેમને ના કહેવાને સમર્થ નહોતો,અને કન્યા આપવાની તેની ઈચ્છા નહોતી.પછી તે તેની પત્ની પાસે જઈને બોલ્યો કે-'આ ઋષિ સમર્થ છે ને તે જો ક્રોધ પામશે તો આપણને શાપાગ્નિથી બાળી મુકશે' માતપિતાને દુઃખી થયેલા જોઈને લોપામુદ્રાએ તેમને કહ્યું કે-'મારે માટે તમારે પીડા પામવાની જરૂર નથી તમે મને અગસ્ત્યને આપો ને મારા દાનથી તમારું રક્ષણ કરો (6)

Jan 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-390

 

અધ્યાય-૯૬-તીર્થયાત્રા-અગસ્ત્યનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः संप्रस्थितो राजा कौन्तेयो भ्रुरिदक्षिणः I अगस्त्याश्रममासाद्य दुर्जयायामुवास ह् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુષ્કળ દક્ષિણા આપવાવાળા કુંતીનંદન યુધિષ્ઠિર ત્યાંથી નીકળીને અગસ્ત્યના આશ્રમમાં ગયા.અને દુર્જેય મણિમતી નગરીમાં જઈ વસ્યા.ત્યાં ધર્મરાજે લોમશ મુનિને પૂછ્યું કે-'અહીં અગસ્ત્ય ઋષિએ રોષે ભરાઈ વાતાપિને શા માટે મારી નાખ્યો હતો?તે માનવભક્ષી દૈત્યનો શો પ્રભાવ હતો?(3)

HOME-INDEX

INDEX of all Pages of this website
Click on Blue links to see the title in detail
અનુક્રમણિકા

Jan 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-389

 

અધ્યાય-૯૫-યુધિષ્ઠિરની તીર્થયાત્રા ને ગયના યજ્ઞનું વર્ણન 


II वैशंपायन उवाच II ते तथा सहिता वीरा वसंतस्तत्र तत्रह् I क्रमेण पृथिवीपाल नैमिषारण्यमागताः II १ II

વૈશંપાયન બોલ્યા-હે પૃથ્વીપાલ,આ પ્રમાણે સ્થાને સ્થાને મુકામ કરતા તે વીર પાંડવો,પોતાના મંડળ સહિત અનુક્રમે નૈમિષારણ્યમાં આવ્યા,ત્યાં તેમણે ગોમતી નદીમાં સ્નાન કર્યું અને ગયો તથા ધનનાં દાન આપ્યાં.ને 

ત્યાં દેવો,પિતૃઓ ને બ્રાહ્મણોને તૃપ્ત કરીને તેઓ કન્યાતીર્થ,અશ્વતીર્થ,ગોતીર્થ અને કાલકોટી તીર્થમાં ગયા ને 

વિપપ્રસ્થગિરિ પર મુકામ કર્યો.ત્યાં સર્વેએ બાહુદા નદીમાં સ્નાન કર્યુ.(4)

Jan 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-388

 

અધ્યાય-૯૪-ધર્મે જય ને પાપે ક્ષય 


II युधिष्ठिर उवाच II न वै निर्गुणमात्मानं मन्ये देवर्षिसत्तम I तथाSस्मि दुःखसंतप्तो यथा नान्यो महीपतिः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દેવર્ષિશ્રેષ્ઠ,હું મારી જાતને ગુણરહિત માનતો નથી,છતાં હું દુઃખથી એટલો સળગી રહ્યો 

છું કે મારા જેટલો બીજો કોઈ રાજા સળગ્યો નહિ હોય.શત્રુઓને હું ગુણહીન અને અધર્મયુક્ત માનું છું,

તો હે લોમશમુનિ,તેઓ એવા કયા કારણે આ લોકમાં વૃદ્ધિ પામી રહ્યા છે?