Jan 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-389

 

અધ્યાય-૯૫-યુધિષ્ઠિરની તીર્થયાત્રા ને ગયના યજ્ઞનું વર્ણન 


II वैशंपायन उवाच II ते तथा सहिता वीरा वसंतस्तत्र तत्रह् I क्रमेण पृथिवीपाल नैमिषारण्यमागताः II १ II

વૈશંપાયન બોલ્યા-હે પૃથ્વીપાલ,આ પ્રમાણે સ્થાને સ્થાને મુકામ કરતા તે વીર પાંડવો,પોતાના મંડળ સહિત અનુક્રમે નૈમિષારણ્યમાં આવ્યા,ત્યાં તેમણે ગોમતી નદીમાં સ્નાન કર્યું અને ગયો તથા ધનનાં દાન આપ્યાં.ને 

ત્યાં દેવો,પિતૃઓ ને બ્રાહ્મણોને તૃપ્ત કરીને તેઓ કન્યાતીર્થ,અશ્વતીર્થ,ગોતીર્થ અને કાલકોટી તીર્થમાં ગયા ને 

વિપપ્રસ્થગિરિ પર મુકામ કર્યો.ત્યાં સર્વેએ બાહુદા નદીમાં સ્નાન કર્યુ.(4)

Jan 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-388

 

અધ્યાય-૯૪-ધર્મે જય ને પાપે ક્ષય 


II युधिष्ठिर उवाच II न वै निर्गुणमात्मानं मन्ये देवर्षिसत्तम I तथाSस्मि दुःखसंतप्तो यथा नान्यो महीपतिः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દેવર્ષિશ્રેષ્ઠ,હું મારી જાતને ગુણરહિત માનતો નથી,છતાં હું દુઃખથી એટલો સળગી રહ્યો 

છું કે મારા જેટલો બીજો કોઈ રાજા સળગ્યો નહિ હોય.શત્રુઓને હું ગુણહીન અને અધર્મયુક્ત માનું છું,

તો હે લોમશમુનિ,તેઓ એવા કયા કારણે આ લોકમાં વૃદ્ધિ પામી રહ્યા છે?

Jan 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-387

 

અધ્યાય-૯૩-પાંડવોનું યાત્રાગમન 


II वैशंपायन उवाच II ततः प्रयांत्तं कौन्तेयं ब्राह्मणा वनवासिनः I अभिगम्य तदा राजनिदं वचनमब्रुवन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી પ્રયાણ માટે તૈયાર થયેલા કુંતીનંદન યુધિષ્ઠિર પાસે જઈને વનવાસી બ્રાહ્મણો બોલ્યા કે-'હે મહારાજ,તમે અમને પણ તીર્થયાત્રામાં સાથે લઇ જાઓ કેમકે તમારા વિના અમે એ તીર્થોમાં જવા સમર્થ નથી,હિંસક પ્રાણીઓથી ભરેલાં અને વિકટ તથા વિષમ સ્થાનોવાળાં એ તીર્થોમાં સામાન્ય મનુષ્યોથી જઈ શકાય તેમ નથી.તમે સર્વ ભાઈઓ શૂરવીર ને શ્રેષ્ઠ ધનુર્ધારીઓ છો,એટલે તમારાથી રક્ષાઇને અમે બધા તીર્થયાત્રા  ને તીર્થસ્નાન કરીશું ને તમારી જેમ અમે પણ યાત્રાનું સુખદાયી ફળ પામીશું.(10)

Jan 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-386

 

અધ્યાય-૯૨-યુધિષ્ઠિરની તીર્થયાત્રાની તૈયારી  


II लोमश उवाच II धनंजयेन चाप्युक्तं यत्तछ्रुणु युधिष्ठिर I युधिष्ठिरं भ्रातरं मे योजयेद्वर्म्यया श्रिया II १ II

લોમશ બોલ્યા-હે યુધિષ્ઠિર,ધનંજય અર્જુને પણ મને જે કહ્યું  હતું તે તમે સાંભળો.તેણે કહ્યું હતું કે'મારા ભાઈ યુધિષ્ઠિરને ધાર્મિક ઐશ્વર્યવાળા કરજો.ને તમે પાંડવોને તીર્થપુણ્ય પ્રાપ્ત કરાવજો.તેઓ તીર્થોમાં જાય ને ગોદાન કરે એવું સર્વ પ્રકારે કરજો.તમારાથી રક્ષાયેલા એ યુધિષ્ઠિરનું તમે વિકટ ને વિષમ સ્થાનોમાં રાક્ષસોથી રક્ષણ કરજો.

કેમ કે તમારાથી રક્ષાયેલા એ કુંતીપુત્ર આગળ દાનવો ને રાક્ષસો આવી શકશે નહિ'

Jan 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-385

અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II

વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,

તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-

'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ

અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -

'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)