અધ્યાય-૯૫-યુધિષ્ઠિરની તીર્થયાત્રા ને ગયના યજ્ઞનું વર્ણન
II वैशंपायन उवाच II ते तथा सहिता वीरा वसंतस्तत्र तत्रह् I क्रमेण पृथिवीपाल नैमिषारण्यमागताः II १ II
વૈશંપાયન બોલ્યા-હે પૃથ્વીપાલ,આ પ્રમાણે સ્થાને સ્થાને મુકામ કરતા તે વીર પાંડવો,પોતાના મંડળ સહિત અનુક્રમે નૈમિષારણ્યમાં આવ્યા,ત્યાં તેમણે ગોમતી નદીમાં સ્નાન કર્યું અને ગયો તથા ધનનાં દાન આપ્યાં.ને
ત્યાં દેવો,પિતૃઓ ને બ્રાહ્મણોને તૃપ્ત કરીને તેઓ કન્યાતીર્થ,અશ્વતીર્થ,ગોતીર્થ અને કાલકોટી તીર્થમાં ગયા ને
વિપપ્રસ્થગિરિ પર મુકામ કર્યો.ત્યાં સર્વેએ બાહુદા નદીમાં સ્નાન કર્યુ.(4)