Jan 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-387

 

અધ્યાય-૯૩-પાંડવોનું યાત્રાગમન 


II वैशंपायन उवाच II ततः प्रयांत्तं कौन्तेयं ब्राह्मणा वनवासिनः I अभिगम्य तदा राजनिदं वचनमब्रुवन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી પ્રયાણ માટે તૈયાર થયેલા કુંતીનંદન યુધિષ્ઠિર પાસે જઈને વનવાસી બ્રાહ્મણો બોલ્યા કે-'હે મહારાજ,તમે અમને પણ તીર્થયાત્રામાં સાથે લઇ જાઓ કેમકે તમારા વિના અમે એ તીર્થોમાં જવા સમર્થ નથી,હિંસક પ્રાણીઓથી ભરેલાં અને વિકટ તથા વિષમ સ્થાનોવાળાં એ તીર્થોમાં સામાન્ય મનુષ્યોથી જઈ શકાય તેમ નથી.તમે સર્વ ભાઈઓ શૂરવીર ને શ્રેષ્ઠ ધનુર્ધારીઓ છો,એટલે તમારાથી રક્ષાઇને અમે બધા તીર્થયાત્રા  ને તીર્થસ્નાન કરીશું ને તમારી જેમ અમે પણ યાત્રાનું સુખદાયી ફળ પામીશું.(10)

Jan 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-386

 

અધ્યાય-૯૨-યુધિષ્ઠિરની તીર્થયાત્રાની તૈયારી  


II लोमश उवाच II धनंजयेन चाप्युक्तं यत्तछ्रुणु युधिष्ठिर I युधिष्ठिरं भ्रातरं मे योजयेद्वर्म्यया श्रिया II १ II

લોમશ બોલ્યા-હે યુધિષ્ઠિર,ધનંજય અર્જુને પણ મને જે કહ્યું  હતું તે તમે સાંભળો.તેણે કહ્યું હતું કે'મારા ભાઈ યુધિષ્ઠિરને ધાર્મિક ઐશ્વર્યવાળા કરજો.ને તમે પાંડવોને તીર્થપુણ્ય પ્રાપ્ત કરાવજો.તેઓ તીર્થોમાં જાય ને ગોદાન કરે એવું સર્વ પ્રકારે કરજો.તમારાથી રક્ષાયેલા એ યુધિષ્ઠિરનું તમે વિકટ ને વિષમ સ્થાનોમાં રાક્ષસોથી રક્ષણ કરજો.

કેમ કે તમારાથી રક્ષાયેલા એ કુંતીપુત્ર આગળ દાનવો ને રાક્ષસો આવી શકશે નહિ'

Jan 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-385

અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II

વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,

તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-

'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ

અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -

'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)

Jan 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-384

 

અધ્યાય-૯૦-ઉત્તર દિશાનાં તીર્થો 


II धौम्य उवाच II उदीच्यां राजशार्दूल दिशि पुण्यानि यानि वै I तानि ते कीर्त्तयिष्यामि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-હે રાજસિંહ,હવે ઉત્તર દિશામાં જે પવિત્ર પુણ્યસ્થાનો આવ્યાં છે તે હું વર્ણવીશ,તે સાંભળો 

ઉત્તરમાં અનેક તીર્થો વડે સુશોભિત સરસ્વતી નદી છે,ને મહાવેગવાળી યમુના નદી છે.ત્યાં પ્લક્ષાવતરણ નામે 

શુભ ને પવિત્ર તીર્થ છે.ત્યાં યજ્ઞો કરીને બ્રાહ્મણો સરસ્વતી જળથી અવભૃત સ્નાન કરીને સ્વર્ગમાં જાય છે. 

ત્યાં અગ્નિશિર નામે દિવ્ય,પુણ્યકારી ને મંગલ સ્થાન છે કે જ્યાં સૃન્જય પુત્ર સહદેવે,અગ્નિઓ સ્થાપીને 

લાખોની દક્ષિણા આપી હતી.તે જ સ્થાને રાજા ભારતે એકસો અડતાલીસ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.

બ્રાહ્મણોની કામના પુરી કરનાર પ્રસિદ્ધ શરભંગ મુનિનો આશ્રમ પણ ત્યાં જ આવ્યો છે (9)

Jan 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-383

અધ્યાય-૮૯-પશ્ચિમનાં તીર્થો 


II धौम्य उवाच II आनर्तेषु प्रतीच्यां वै कीर्त्तयिष्यामि ते दिशि I यानि तत्र पवित्रापि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-આનર્તદેશમાં પશ્ચિમ દિશામાં જે પુણ્યતીર્થો આવેલાં છે તે હવે તમને કહીશ.ત્યાં પશ્ચિમ તરફ 

વહેતી પવિત્ર નર્મદા નદી છે કે જેને તીરે પ્રિયંગુ,આંબા ને નેતરનાં વનો છે.હે ભારત,ત્રણે લોકમાં જે પુણ્યધામો,સરિતાઓ,વનો,પર્વતો,બ્રહ્માદિ દેવો,સિદ્ધિ,ઋષિઓ,ચારણો ને પુણ્યસમૂહો છે 

તે સર્વ આ નર્મદામાં સદૈવ જલસ્નાન કરવા આવે છે.ત્યાં વિશ્રવા મુનિનું પુણ્યસ્થાન છે.