Jan 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-385

અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II

વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,

તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-

'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ

અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -

'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)

Jan 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-384

 

અધ્યાય-૯૦-ઉત્તર દિશાનાં તીર્થો 


II धौम्य उवाच II उदीच्यां राजशार्दूल दिशि पुण्यानि यानि वै I तानि ते कीर्त्तयिष्यामि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-હે રાજસિંહ,હવે ઉત્તર દિશામાં જે પવિત્ર પુણ્યસ્થાનો આવ્યાં છે તે હું વર્ણવીશ,તે સાંભળો 

ઉત્તરમાં અનેક તીર્થો વડે સુશોભિત સરસ્વતી નદી છે,ને મહાવેગવાળી યમુના નદી છે.ત્યાં પ્લક્ષાવતરણ નામે 

શુભ ને પવિત્ર તીર્થ છે.ત્યાં યજ્ઞો કરીને બ્રાહ્મણો સરસ્વતી જળથી અવભૃત સ્નાન કરીને સ્વર્ગમાં જાય છે. 

ત્યાં અગ્નિશિર નામે દિવ્ય,પુણ્યકારી ને મંગલ સ્થાન છે કે જ્યાં સૃન્જય પુત્ર સહદેવે,અગ્નિઓ સ્થાપીને 

લાખોની દક્ષિણા આપી હતી.તે જ સ્થાને રાજા ભારતે એકસો અડતાલીસ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.

બ્રાહ્મણોની કામના પુરી કરનાર પ્રસિદ્ધ શરભંગ મુનિનો આશ્રમ પણ ત્યાં જ આવ્યો છે (9)

Jan 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-383

અધ્યાય-૮૯-પશ્ચિમનાં તીર્થો 


II धौम्य उवाच II आनर्तेषु प्रतीच्यां वै कीर्त्तयिष्यामि ते दिशि I यानि तत्र पवित्रापि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-આનર્તદેશમાં પશ્ચિમ દિશામાં જે પુણ્યતીર્થો આવેલાં છે તે હવે તમને કહીશ.ત્યાં પશ્ચિમ તરફ 

વહેતી પવિત્ર નર્મદા નદી છે કે જેને તીરે પ્રિયંગુ,આંબા ને નેતરનાં વનો છે.હે ભારત,ત્રણે લોકમાં જે પુણ્યધામો,સરિતાઓ,વનો,પર્વતો,બ્રહ્માદિ દેવો,સિદ્ધિ,ઋષિઓ,ચારણો ને પુણ્યસમૂહો છે 

તે સર્વ આ નર્મદામાં સદૈવ જલસ્નાન કરવા આવે છે.ત્યાં વિશ્રવા મુનિનું પુણ્યસ્થાન છે.

Jan 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-382

 

અધ્યાય-૮૮-દક્ષિણનાં તીર્થો 


II धौम्य उवाच II दक्षिणास्यां तु पुण्यानि शृणु तीर्थानि भारत I विस्तरेण यथाबुध्धि कीर्त्यमानानि तानि वै II १ II

ધૌમ્ય બોલ્યા-હે ભારત,યથાબુધ્ધિએ વિસ્તારપૂર્વક હવે હું જે દક્ષિણ દિશાનાં પુણ્યતીર્થો વિશે કહું છું તે તમે સાંભળો.દક્ષિણમાં તપસ્વીઓએ સેવેલી પવિત્ર ગોદાવરી નદી વહે છે.તપસ્વીઓના આશ્રમોથી શોભી રહેલી વેણા ને ભીમરથી નદીઓ ત્યાં છે.ત્યાં રાજર્ષિ નૃગની,રમણીય તીર્થવાળી પયોષ્ણી નદી છે.અહીં મહાયોગી માર્કંડેયે નૃગરાજાના વંશની કથા ગાઈ હતી કે-'પયોષ્ણીના ઉત્તમ વારાહ તીર્થમાં નૃગરાજાએ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર સોમપાનથી અને બ્રાહ્મણો દક્ષિણાઓથી મસ્ત થઈ ગયા હતા,એવું અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે'

Dec 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-381

 

અધ્યાય-૮૭-ધૌમ્યે કરેલું પૂર્વના તીર્થોનું વર્ણન 


II वैशंपायन उवाच II ताम्सर्वानुत्सुकान द्रष्टा पांडवांदीनचेतमः I आश्वासयंस्तथा धौम्यो बृहस्पतिसमोSब्रवीत  II १ II

વૈશંપાયન બોલ્યા- દુઃખી મનવાળા તે સર્વ પાંડવોને ઉત્સુક જોઈને બૃહસ્પતિ સમા ધૌમ્યે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે-'બ્રાહ્મણોની સંમતિ પામેલા પુણ્યઆશ્રમો,દિશાઓ,તીર્થો ને પર્વતો વિશે હું કહું છું સાંભળો.

તે સાંભળીને તમે સર્વ શોકમુક્ત થશો,ને પુણ્ય પામશો.પહેલાં હું પૂર્વદિશાનું મારી સ્મૃતિ મુજબ વર્ણન કરીશ.

હે ભારત,પૂર્વ દિશામાં દેવર્ષિસેવિત નૈમિષારણ્ય છે,રમણીય ગોમતી છે.

પૂર્વદિશામાં દેવોની યજ્ઞભૂમિ છે,ગય નામનો મહાપર્વત છે અને કલ્યાણકારી બ્રહ્મ સરોવર છે.(8)