અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ
II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II
વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,
તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-
'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ
અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -
'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)