Jan 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-382

 

અધ્યાય-૮૮-દક્ષિણનાં તીર્થો 


II धौम्य उवाच II दक्षिणास्यां तु पुण्यानि शृणु तीर्थानि भारत I विस्तरेण यथाबुध्धि कीर्त्यमानानि तानि वै II १ II

ધૌમ્ય બોલ્યા-હે ભારત,યથાબુધ્ધિએ વિસ્તારપૂર્વક હવે હું જે દક્ષિણ દિશાનાં પુણ્યતીર્થો વિશે કહું છું તે તમે સાંભળો.દક્ષિણમાં તપસ્વીઓએ સેવેલી પવિત્ર ગોદાવરી નદી વહે છે.તપસ્વીઓના આશ્રમોથી શોભી રહેલી વેણા ને ભીમરથી નદીઓ ત્યાં છે.ત્યાં રાજર્ષિ નૃગની,રમણીય તીર્થવાળી પયોષ્ણી નદી છે.અહીં મહાયોગી માર્કંડેયે નૃગરાજાના વંશની કથા ગાઈ હતી કે-'પયોષ્ણીના ઉત્તમ વારાહ તીર્થમાં નૃગરાજાએ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર સોમપાનથી અને બ્રાહ્મણો દક્ષિણાઓથી મસ્ત થઈ ગયા હતા,એવું અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે'

Dec 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-381

 

અધ્યાય-૮૭-ધૌમ્યે કરેલું પૂર્વના તીર્થોનું વર્ણન 


II वैशंपायन उवाच II ताम्सर्वानुत्सुकान द्रष्टा पांडवांदीनचेतमः I आश्वासयंस्तथा धौम्यो बृहस्पतिसमोSब्रवीत  II १ II

વૈશંપાયન બોલ્યા- દુઃખી મનવાળા તે સર્વ પાંડવોને ઉત્સુક જોઈને બૃહસ્પતિ સમા ધૌમ્યે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે-'બ્રાહ્મણોની સંમતિ પામેલા પુણ્યઆશ્રમો,દિશાઓ,તીર્થો ને પર્વતો વિશે હું કહું છું સાંભળો.

તે સાંભળીને તમે સર્વ શોકમુક્ત થશો,ને પુણ્ય પામશો.પહેલાં હું પૂર્વદિશાનું મારી સ્મૃતિ મુજબ વર્ણન કરીશ.

હે ભારત,પૂર્વ દિશામાં દેવર્ષિસેવિત નૈમિષારણ્ય છે,રમણીય ગોમતી છે.

પૂર્વદિશામાં દેવોની યજ્ઞભૂમિ છે,ગય નામનો મહાપર્વત છે અને કલ્યાણકારી બ્રહ્મ સરોવર છે.(8)

Dec 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-380

 

અધ્યાય-૮૬-ધૌમ્યને યુધિષ્ઠિરનું નિવેદન 


II वैशंपायन उवाच II भ्रातृणां मतमाज्ञाय नारदस्य धीमतः I पितामहसमं धौम्ये प्राह राजः युधिष्ठरः II १ II

વૈશંપાયન બોલ્યા-ધીમાન નારદનો તથા ભાઈઓનો મત મેળવીને,રાજા યુધિષ્ઠિર,પિતામહ બ્રહ્માના જેવા ધૌમ્ય મુનિને કહેવા લાગ્યા કે-'એ સત્યપરાક્રમી,મહાબાહુ અર્જુનને મેં અસ્ત્રો મેળવવા માટે બહાર મોકલ્યો છે,કેમ કે તે સમર્થ છે ને અસ્ત્રવિદ્યામાં વાસુદેવ સમાન છે.વળી,હું જાણું છું કે અર્જુન ને વાસુદેવ એ બંને નર-ને નારાય  ઋષિઓ છે,

ને એથી અર્જુન સમર્થ છે-એમ માનીને મેં તેને આજ્ઞા કરી છે.પરાક્રમમાં ઈન્દ્રથી ન ઉતરે

તે ઇન્દ્રપુત્રને મેં ઇંદ્રનાં દર્શન કરવા ને ઇંદ્રનાં અસ્ત્રો મેળવવા દેશ બહાર મોકલ્યો છે.

Dec 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-379

 

ત્યાં વાસુકિના ભોગવતીતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.વળી,ત્યાં હંસપ્રપતન ને દશાશ્વમેધીક તીર્થ છે. ગંગામાં ગમે ત્યાં સ્નાન કર્યું હોય તો કુરુક્ષેત્ર સમાન ફળ મળે છે,જો કે કનખલમાં વિશેષ ફળ ને પ્રયાગમાં તો અતિમહાન ફળ મળે છે.સેંકડો દુષ્કર્મો કર્યા છતાં જો ગંગાસ્નાન કરે તો તેના પાપો બળી જાય છે.

સતયુગમાં સર્વ તીર્થો,ત્રેતામાં પુષ્કરતીર્થ,દ્વાપરમાં કુરુક્ષેત્ર તીર્થ ને કળિયુગમાં ગંગાતીર્થ એ પવિત્ર કહેવાય છે.

Dec 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-378

 

ત્યાંથી,જે ગોદાવરી નદીએ જાય છે તે ગોમેઘ યજ્ઞફળ મેળવે છે ને વાસુકી લોકમાં જાય છે.વેણાના સંગમમાં સ્નાન

કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.જે વરદાના સંગમમાં સ્નાન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ પામે છે.

પછી જે બ્રહ્મસ્થાને જઈ ત્રણ રાત્રિના ઉપવાસ રાખે છે તે સહસ્ત્ર ગોદાન દળ પામે છે,ત્યાંથી,જે કુશપ્લવન જઈ ત્રણ રાત્રિનો વાસ ને સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.પછી જે,અરણ્યમાં કૃષ્ણા ને વેણાના જલમાંથી છૂટેલા

દેવહૃદ ને જાતિસ્મરહ્રુદમાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.(38)