અધ્યાય-૮૬-ધૌમ્યને યુધિષ્ઠિરનું નિવેદન
II वैशंपायन उवाच II भ्रातृणां मतमाज्ञाय नारदस्य धीमतः I पितामहसमं धौम्ये प्राह राजः युधिष्ठरः II १ II
વૈશંપાયન બોલ્યા-ધીમાન નારદનો તથા ભાઈઓનો મત મેળવીને,રાજા યુધિષ્ઠિર,પિતામહ બ્રહ્માના જેવા ધૌમ્ય મુનિને કહેવા લાગ્યા કે-'એ સત્યપરાક્રમી,મહાબાહુ અર્જુનને મેં અસ્ત્રો મેળવવા માટે બહાર મોકલ્યો છે,કેમ કે તે સમર્થ છે ને અસ્ત્રવિદ્યામાં વાસુદેવ સમાન છે.વળી,હું જાણું છું કે અર્જુન ને વાસુદેવ એ બંને નર-ને નારાય ઋષિઓ છે,
ને એથી અર્જુન સમર્થ છે-એમ માનીને મેં તેને આજ્ઞા કરી છે.પરાક્રમમાં ઈન્દ્રથી ન ઉતરે
તે ઇન્દ્રપુત્રને મેં ઇંદ્રનાં દર્શન કરવા ને ઇંદ્રનાં અસ્ત્રો મેળવવા દેશ બહાર મોકલ્યો છે.