Dec 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-377

 

અધ્યાય-૮૫-તીર્થવર્ણન (ચાલુ)


II पुलस्त्य उवाच II अथ संध्यां समासाद्य संवेद्यं तीर्थमुत्तमं I उपस्पृश्य नरो विद्यां लभते नाव संशयःII १ II

પુલસ્ત્ય બોલ્યા-તે પછી,સંધ્યા સમયે ઉત્તમ સંવેદ્ય નામના તીર્થમાં જઈ જે સ્નાન કરે તે વિદ્યા પામે છે,એમાં સંશય નથી.પૂર્વે શ્રીરામચંદ્રના પ્રભાવ વડે લૌહિત્યતીર્થ નિર્માણ થયેલું છે તેમાં જવાથી,મનુષ્ય વિપુલ સુવર્ણ મેળવે છે.

ત્યાંથી કરતોયામાં જઈ જે ત્રણ રાત્રિના ઉપવાસ કરે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.ત્યાં ગંગાસાગરના સંગમમાં જે સ્નાન કરે તેને અશ્વમેઘનું દશગણું ફળ મળે છે.ને ગંગાની સામે પર જઈ ત્રણ રાત્રિનો વાસ કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી,વૈતરણી નદીએ જઈ ત્યાંથી વિરજ તીર્થમાં જવાથી મનુષ્ય ચંદ્રની જેમ શોભી રહે છે,

પોતાના કુળને પાવન કરે છે,કુળને તારે છે,ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.(7)

Dec 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-376

 

ત્યાંથી મહાદેવના ગૃધ્રવટ નામના સ્થાનમાં જઈ,ભસ્મથી સ્નાન કરી મહાદેવનાં દર્શન કરવાથી.બાર વર્ષના તપનું ફળ મળે છે.પછી,ઉદ્યન્ત નામના પર્વત પર સાવિત્રીની પાદુકાના દર્શન કરી સંધ્યોપાસના કર્યાથી બાર વર્ષ સુધી સંધ્યોપાસના કર્યાનું ફળ મળે છે.ત્યાં જ પ્રસિદ્ધ યોનિદ્વાર છે,ત્યાં જવાથી પરુષ યોનિસંકટમાંથી છૂટે છે.

જે ગયામાં એક માસ વાસ કરે છે તે પોતાની સાત પેઢીને પવિત્ર કરે છે (97)

Dec 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-375

 

ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી

ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે 

અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)

Dec 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-374

 

અધ્યાય-૮૪-તીર્થવર્ણન (ચાલુ) 


II पुलस्त्य उवाच II ततो गच्छेन्महाराज धर्मतीर्थमनुत्तमम I यत्र धर्मो महाभागस्तप्तवानुत्तमं तपः II १ II

પુલસ્ત્ય બોલ્યા-હે મહારાજ,ત્યાંથી અનુપમ ધર્મતીર્થે જવું.ધર્મરાજાએ ત્યાં અતિ ઉત્તમ તપ કર્યું હતું.ને તે તીર્થને પવિત્ર કરીને પોતાના નામથી પ્રસિદ્ધ કર્યું હતું.ત્યાં સ્નાન કરનાર પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે.

ત્યાંથી,જ્ઞાનપાવન તીર્થમાં જવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામી મુનિલોકમાં જાય છે.

ત્યાંથી સૌગન્ધિક વનમાં પ્રવેશ કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.

Dec 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-373

 

ત્યાંથી નૈમિષકુંજમાં જવું.ત્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ અને પછી,કન્યાતીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર

ગોદાનફળ મળે છે.ત્યાંથી બ્રહ્માતીર્થ જવું ત્યાં સ્નાન કરવાથી બ્રાહ્મણપણું મળે છે.ને પરમ ગતિ મળે છે.

પછી,સોમતીર્થે જવું જ્યાં સ્નાન કરનારને સોમલોકની પ્રાપ્તિ થાય છે.ત્યાંથી સપ્તસારસ્વત તીર્થમાં જવું,

જ્યાં મંકણક મુનિ થયા હતા,મહાદેવની આજ્ઞાથી,અહીં સ્નાન કરવાથી સારસ્વત લોકની પ્રાપ્તિ થાય છે (134)