ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી
ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.
પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે
અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)