Dec 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-375

 

ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી

ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે 

અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)

Dec 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-374

 

અધ્યાય-૮૪-તીર્થવર્ણન (ચાલુ) 


II पुलस्त्य उवाच II ततो गच्छेन्महाराज धर्मतीर्थमनुत्तमम I यत्र धर्मो महाभागस्तप्तवानुत्तमं तपः II १ II

પુલસ્ત્ય બોલ્યા-હે મહારાજ,ત્યાંથી અનુપમ ધર્મતીર્થે જવું.ધર્મરાજાએ ત્યાં અતિ ઉત્તમ તપ કર્યું હતું.ને તે તીર્થને પવિત્ર કરીને પોતાના નામથી પ્રસિદ્ધ કર્યું હતું.ત્યાં સ્નાન કરનાર પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે.

ત્યાંથી,જ્ઞાનપાવન તીર્થમાં જવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામી મુનિલોકમાં જાય છે.

ત્યાંથી સૌગન્ધિક વનમાં પ્રવેશ કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.

Dec 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-373

 

ત્યાંથી નૈમિષકુંજમાં જવું.ત્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ અને પછી,કન્યાતીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર

ગોદાનફળ મળે છે.ત્યાંથી બ્રહ્માતીર્થ જવું ત્યાં સ્નાન કરવાથી બ્રાહ્મણપણું મળે છે.ને પરમ ગતિ મળે છે.

પછી,સોમતીર્થે જવું જ્યાં સ્નાન કરનારને સોમલોકની પ્રાપ્તિ થાય છે.ત્યાંથી સપ્તસારસ્વત તીર્થમાં જવું,

જ્યાં મંકણક મુનિ થયા હતા,મહાદેવની આજ્ઞાથી,અહીં સ્નાન કરવાથી સારસ્વત લોકની પ્રાપ્તિ થાય છે (134)

Dec 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-372

 

હે રાજેન્દ્ર,ત્યાંથી અરંતુક દ્વારપાળ નામના તીર્થમાં જવું,મહાત્મા યક્ષેન્દ્રનું સરસ્વતીના તીર પર આવેલા આ તીર્થમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.પછી,બ્રહ્માવર્ત તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે.ત્યાંથી સુતીર્થકમાં જવું ત્યાં પિતૃઓ,દેવો સાથે નિત્ય વાસ કરે છે.ત્યાં સ્નાન અને પિતૃઓ તથા  દેવોનું પૂજન અર્ચન કરનારને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને તે પિતૃલોકમાં જાય છે.(55)

Dec 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-371

 

અધ્યાય-૮૩-વિશેષ તીર્થ વર્ણન 


II पुलस्त्य उवाच II ततो गच्छेत राजेन्द्र कुरुक्षेत्रममिष्टुतम I पापेभ्यो यत्र मुच्यन्ते दर्शनात्सर्वजन्तवः II १ II

પુલસ્ત્ય બોલ્યા-'હે રાજેન્દ્ર,ત્યાંથી વખાણવા લાયક કુરુક્ષેત્રમાં જવું,જેના દર્શનથી,પાપથી મુક્ત થવાય છે.

'હું કુરુક્ષેત્રમાં જઈશ ને ત્યાં વાસ કરીશ'એમ જે સતત જપ્યા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે.

પવને ઉડાડેલી કુરુક્ષેત્રની ધૂળ પણ પાપકર્મીને પરમ ગતિએ લઇ જાય છે.જેઓ,સરસ્વતીની દક્ષિણે ને દષદવતીની ઉત્તરે કુરુક્ષેત્રમાં વાસ કરે છે તેઓ સ્વર્ગમાં જ વસે છે.બ્રહ્માદિ દેવો ત્યાં બ્રહ્મક્ષેત્રમાં જાય છે.જે મનમાં પણ કુરુક્ષેત્ર જવાની ઈચ્છા કરે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પામે છે.ત્યાં મચપ્રુક નામના યક્ષ દ્વારપાલને વંદન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ સાંપડે છે,આમ,જે કુરુક્ષેત્રમાં જાય છે તે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે.(9)