ત્યાંથી,આગળ સિદ્ધોએ સેવેલાં શકતીર્થ અને કુમારિકાતીર્થ આવે છે,જેમાં સ્નાન કરનાર તત્કાલ સ્વર્ગલોકને
પામે છે.ત્યાં રેણુકાતીર્થ છે જેમાં સ્નાન કરવાથી,મનુષ્ય ચંદ્રમા જેવો નિર્મલ થાય છે.
ત્યાંથી જે મનુષ્ય પંચનદમાં જાય છે તે શાસ્ત્રમાં ખેલ પાંચ યજ્ઞોનું ફળ પામે છે.
પછી,ભીમાના ઉત્તમ સ્થાનમાં જવું,ત્યાં યોનિતીર્થમાં સ્નાન કરનાર દેવીનો પુત્ર થાય છે.ત્યાંથી આગળ
શ્રીકુંડતીર્થમાં જઈ પિતામહ બ્રહ્માને નમન કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે (86)