Dec 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-367

 

અધ્યાય-૮૧-નારદ યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II धनंजयोत्सुकानां तु भ्रातृणां कृष्णया सह I श्रुत्वा वाक्यानि विमना धर्मराजोSप्यजायत II १ II

વૈશંપાયન બોલ્યા-'ધનંજય અર્જુનને માટે ઉત્સુક થયેલા ભાઈઓના ને કૃષ્ણાનાં વચન સાંભળીને ધર્મરાજા મનમાં ઉદાસ થઇ ગયા.તે જ વખતે તેમણે દેવર્ષિ નારદ ને આવતા જોયા.તેમને આવેલા જોઈને ધર્મરાજાએ ઉભા થઈને ભાઈઓ સાથે તેમનું યથાવિધિ પૂજન કર્યું.નારદે તે પૂજાનો સ્વીકાર કરી આશ્વાસન આપીને કહ્યું કે-

'હે ધાર્મિક શ્રેષ્ઠ,બોલો શી ઈચ્છા છે?હું તમને શું આપું?' (7)

Dec 14, 2023

Shambhu sharne padi-with lyrics-શંભુ શરણે પડી-ગુજરાતી ભજન -શબ્દો સાથે



ખૂબ જ સુંદર રીતે ગવાયેલું-ભજન -કીર્તીદાન ગઢવી  ના સ્વરે
 

શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા, 

 હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો. 

Om-Kar Expalaination in Hindi

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-366

 

તીર્થયાત્રા પર્વ 

અધ્યાય-૮૦-અર્જુન સંબંધી શોકોદગાર 

II जनमेजय उवाच II भगवन्काम्यकारपार्थे गते मे प्रपितामहे I पांडवा: किमकुर्वस्ते तमृते सव्यसाचिन् II १ II

  જન્મેજય બોલ્યા-હે ભગવન,મારા પ્રપિતામહ પૃથાનંદન અર્જુન કામ્યક વનમાંથી ગયા,ત્યારે તે પાંડવોએ એ સવ્યસાચી અર્જુન વગર શું કર્યું?કેમકે જેમ,વિષ્ણુ,એ આદિત્યોના ગતિરૂપ છે તેમ,અર્જુન,એ પાંડવોના ગતિરૂપ હતા તેમ મને લાગે છે,અર્જુન વિના તે મહાત્માઓ વનમાં કેવી રીતે રહ્યા હતા? (3)

Dec 13, 2023