Dec 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-364

 

અધ્યાય-૭૭-ઋતુપર્ણ રાજાનું સ્વદેશગમન 


II बृहदश्च उवाच II अथ तां व्युपितो रात्रि नलो राज स्वलंकृतः I वैदर्भ्यां सहितः काले ददर्श वसुधादिपं II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,સારી રીતે અલંકૃત થયેલો તે નળરાજા ત્યાં એક રાત રહીને બીજે દિવસે સવારે વૈદર્ભી સાથે ભીમને મળવા ગયો ને સસરાનું વિનયપૂર્વક અભિવંદન કર્યું.ભીમે પણ અત્યંત પ્રેમથી બંનેનો સત્કાર કર્યો.

 નળને પાછો આવેલો સાંભળીને નગરના આનંદિત થયેલા લોકોએ ઉત્સવ કર્યો,ઋતુપર્ણે જયારે સાંભળ્યું કે બાહુકના વેશમાં નળરાજા જ છે એટલે તેણે આવીને તેની ક્ષમા માગતા કહ્યું કે-

Dec 11, 2023

Sundarkaand-By Mukesh-With Gujarati Lyrics-સુંદરકાંડ-મુકેશ ના સ્વરમાં -ગુજરાતી શબ્દો સાથે


મંગલ ભવન અમંગલ હારી,દ્રવ્હું સો દશરથ અજીર બિહારી.
જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.
જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-363

 

અધ્યાય-૭૬-નળ  દમયંતીનું મિલન 


II बृहदश्च उवाच II सर्व विकारं द्रष्टा तु पुण्यश्लोकस्य धीमतः I आगत्य केशिनी सर्व दमयन्त्यै न्यवेदयत II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,તે કેશિની,પુણ્યશ્લોક નળના સર્વ વિકારો જોઈને પાછી આવીને દમયંતીને સર્વ વાત કહી સંભળાવી.એટલે દુઃખાતુર દમયંતીએ માતાને કહ્યું કે-મેં નળની શંકાથી બાહુકની ઘણી બધી પરીક્ષા કરી છે,માત્ર તેના રૂપ વિષે જ સંશય રહ્યો છે તે હું પોતે જાણી લેવા ઈચ્છું છું,એટલે પિતાને જણાવીને,તેને મળવાની ગોઠવણ કર' ત્યાર બાદ માતા અને પિતાએ ખુશીથી રજા આપી ને નળને  દમયંતીના આવાસ પર મોકલ્યો.

Dec 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-362

 

અધ્યાય-૭૫-બાહુક અને બાળકોની ભેટ 


II बृहदश्च उवाच II दमयन्ति तु तच्छ्रुत्वा भृशं शोकपरायणा I शंकमाना नलं तं वै केशिनीमिदमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાંભળીને દમયંતી અતિ શોકપરાયણ થઇ પણ 'તે નળ જ છે' એવી શંકા કરીને તેણે કેશિનીને કહ્યું કે-'હે કેશીની,તું ફરી જા અને કશું પણ બોલ્યા વિના તેની પાસે ઉભા રહી તેના ચરિત્રો જોજે.તે આગ્રહપૂર્વક અગ્નિ ને જળ માગે તો પણ તે તું તેને તત્કાળ આપીશ નહિ.ને તેનામાં જે કોઈ દૈવી કે માનુષી ચિહ્નન તારા જોવામાં આવે તે તું મને અહીં આવીને કહેજે' ત્યારે કેશીની ત્યાં ગઈ ને લક્ષણો તપાસીને પાછી આવીને બોલી કે-

Dec 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-361

 

અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ 


II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II

દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.

તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'