Dec 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-362

 

અધ્યાય-૭૫-બાહુક અને બાળકોની ભેટ 


II बृहदश्च उवाच II दमयन्ति तु तच्छ्रुत्वा भृशं शोकपरायणा I शंकमाना नलं तं वै केशिनीमिदमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાંભળીને દમયંતી અતિ શોકપરાયણ થઇ પણ 'તે નળ જ છે' એવી શંકા કરીને તેણે કેશિનીને કહ્યું કે-'હે કેશીની,તું ફરી જા અને કશું પણ બોલ્યા વિના તેની પાસે ઉભા રહી તેના ચરિત્રો જોજે.તે આગ્રહપૂર્વક અગ્નિ ને જળ માગે તો પણ તે તું તેને તત્કાળ આપીશ નહિ.ને તેનામાં જે કોઈ દૈવી કે માનુષી ચિહ્નન તારા જોવામાં આવે તે તું મને અહીં આવીને કહેજે' ત્યારે કેશીની ત્યાં ગઈ ને લક્ષણો તપાસીને પાછી આવીને બોલી કે-

Dec 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-361

 

અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ 


II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II

દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.

તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'

Dec 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-360

 

અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ 


II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II

બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)

Dec 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-359

અધ્યાય-૭૨-નળના દેહમાંથી કલિનું નાસવું 


II बृहदश्च उवाच II स नदीपर्वताश्चैव वनानि च सरांसि च I अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव II १ II

બૃહદશ્વ બોલ્યા-'ઋતુપર્ણનો તે રથ,આકાશચારી પંખીની જેમ,નદીઓ,પર્વતો અને સરોવરોને પલકારામાં વટાવી ગયો.તેવામાં ઋતુપર્ણે પોતાનું ઉપરણું નીચે પડી જતું જોયું.એટલે તેણે નળને કહ્યું કે-'તું રથ ઉભો રાખ,આ વાર્ષ્ણેય 

મારો ઉડી ગયેલો દુપટ્ટો લઇ આવે' નળે ઉત્તર આપ્યો કે-'આપણે ત્યાંથી એક જોજન દૂર આવી ગયા છીએ,એટલે તે

પાછું લાવી શકાય તેમ નથી.કેમ કે તેથી સમય બરબાદ થશે ને આપણે સમયસર પહોંચી શકીશું નહિ'

Dec 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-358

 

અધ્યાય-૭૧-વિદર્ભ દેશ તરફ ઋતુપર્ણનું પ્રસ્થાન 


II बृहदश्च उवाच II श्रुत्वा वचः सुदेवस्य ऋतुपर्णो नराधिपः I सान्त्ययन् श्लक्ष्णया वाचा बाहुकं प्रत्यभाषत II १ II

બૃહદશ્વ બોલ્યા-'સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણે મધુર વાણીમાં બાહુકને કહ્યું કે-'હે બાહુક,દમયંતીના સ્વયંવરમાં જવા માટે વિદર્ભદેશમાં હું એક જ દિવસમાં પહોંચવા માગું છું,તો તું સારા અશ્વોથી જોડેલો 

રથ સત્વરે તૈયાર કર તું અશ્વવિદ્યામાં નિષ્ણાત છે,તો મારુ આટલું કામ કર'