અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ
II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II
બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)