Dec 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-360

 

અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ 


II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II

બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)

Dec 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-359

અધ્યાય-૭૨-નળના દેહમાંથી કલિનું નાસવું 


II बृहदश्च उवाच II स नदीपर्वताश्चैव वनानि च सरांसि च I अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव II १ II

બૃહદશ્વ બોલ્યા-'ઋતુપર્ણનો તે રથ,આકાશચારી પંખીની જેમ,નદીઓ,પર્વતો અને સરોવરોને પલકારામાં વટાવી ગયો.તેવામાં ઋતુપર્ણે પોતાનું ઉપરણું નીચે પડી જતું જોયું.એટલે તેણે નળને કહ્યું કે-'તું રથ ઉભો રાખ,આ વાર્ષ્ણેય 

મારો ઉડી ગયેલો દુપટ્ટો લઇ આવે' નળે ઉત્તર આપ્યો કે-'આપણે ત્યાંથી એક જોજન દૂર આવી ગયા છીએ,એટલે તે

પાછું લાવી શકાય તેમ નથી.કેમ કે તેથી સમય બરબાદ થશે ને આપણે સમયસર પહોંચી શકીશું નહિ'

Dec 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-358

 

અધ્યાય-૭૧-વિદર્ભ દેશ તરફ ઋતુપર્ણનું પ્રસ્થાન 


II बृहदश्च उवाच II श्रुत्वा वचः सुदेवस्य ऋतुपर्णो नराधिपः I सान्त्ययन् श्लक्ष्णया वाचा बाहुकं प्रत्यभाषत II १ II

બૃહદશ્વ બોલ્યા-'સુદેવની વાત સાંભળીને રાજા ઋતુપર્ણે મધુર વાણીમાં બાહુકને કહ્યું કે-'હે બાહુક,દમયંતીના સ્વયંવરમાં જવા માટે વિદર્ભદેશમાં હું એક જ દિવસમાં પહોંચવા માગું છું,તો તું સારા અશ્વોથી જોડેલો 

રથ સત્વરે તૈયાર કર તું અશ્વવિદ્યામાં નિષ્ણાત છે,તો મારુ આટલું કામ કર'

Dec 5, 2023

Vishnu Sahastra Namavali and Viahnu sahastr Stotra Book-Gujarati-વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર-બુક

This book is downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-357

 

અધ્યાય-૭૦-નળરાજાની ભાળ મળી 


II बृहदश्च उवाच II अथ दीर्घस्य कालस्य पर्णादो नाम वै द्विजः I प्रत्येत्य नगरं भैमीमिदं वचनमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,લાંબા સમયે પર્ણાદ નામનો બ્રાહ્મણ નગરમાં પાછો આવીને દમયંતીને કહેવા લાગ્યો કે-

'હે દમયંતી,નૈષધનાથને શોધતો હું અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજાને ત્યાં ગયો હતો ને સભામધ્યે મેં તમારાં કહેલાં

વચનો યથાવત કહ્યાં,પણ કોઈએ કશું કહ્યું નહિ એટલે રાજાની રજા લઈને હું બહાર નીકળયો ત્યારે 

બાહુક નામના સારથિએ મને એકાંતમાં બોલાવ્યો.તે કદરૂપો ને ટૂંકા હાથવાળો છે ને વાહન ચલાવવામાં 

ને રસોઈ બનાવવામાં ઉત્તમ છે.તે અનેકવાર નિસાસા નાખીને રુદન કરીને બોલ્યો હતો કે-