Dec 5, 2023

Vishnu Sahastra Namavali and Viahnu sahastr Stotra Book-Gujarati-વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર-બુક

This book is downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-357

 

અધ્યાય-૭૦-નળરાજાની ભાળ મળી 


II बृहदश्च उवाच II अथ दीर्घस्य कालस्य पर्णादो नाम वै द्विजः I प्रत्येत्य नगरं भैमीमिदं वचनमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,લાંબા સમયે પર્ણાદ નામનો બ્રાહ્મણ નગરમાં પાછો આવીને દમયંતીને કહેવા લાગ્યો કે-

'હે દમયંતી,નૈષધનાથને શોધતો હું અયોધ્યા નગરીમાં ઋતુપર્ણ રાજાને ત્યાં ગયો હતો ને સભામધ્યે મેં તમારાં કહેલાં

વચનો યથાવત કહ્યાં,પણ કોઈએ કશું કહ્યું નહિ એટલે રાજાની રજા લઈને હું બહાર નીકળયો ત્યારે 

બાહુક નામના સારથિએ મને એકાંતમાં બોલાવ્યો.તે કદરૂપો ને ટૂંકા હાથવાળો છે ને વાહન ચલાવવામાં 

ને રસોઈ બનાવવામાં ઉત્તમ છે.તે અનેકવાર નિસાસા નાખીને રુદન કરીને બોલ્યો હતો કે-

Dec 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-356

અધ્યાય-૬૯-દમયંતી પિતાને ત્યાં,અને નળરાજાની શોધ 


II सुदेव उवाच II विदर्भराजो धर्मात्मा भीमो नाम महाधुतिः I सुतेयं तस्य कल्याणी दमयन्तीति विश्रुता II १ II

સુદેવ બોલ્યો-'ધર્માત્મા અને મહાતેજસ્વી એવા વિદર્ભદેશના રાજા ભીમની આ પુત્રી દમયંતી નામે પ્રસિદ્ધ છે.

તે નિષધદેશના રાજા નળની પત્ની છે,જેના રાજ્યને તેના ભાઈએ જુગટામાં જીતી લીધું હતું એટલે તે આ દમયંતી સાથે રાજ્યમાંથી ચાલ્યો ગયો હતો ને તેમની કોઈ ભાળ મળતી નહોતી,તેથી રાજા ભીમની આજ્ઞાથી આ દમયંતીને ખોળવા અમે બ્રાહ્મણો પૃથ્વી પર વિચરી રહ્યા હતા,તે અહીં મને તે તમારા ભવનમાં મળી આવી છે,

આની બે ભંવર વચ્ચે જન્મથી જ એક ઉત્તમ કમલાકાર તલ છે,કે જે મેલથી ઢંકાયેલો છે,છતાં મેં તે નિશાનથી તેને

ઓળખી લીધી છે' સુદેવના આવા વચનથી સુનંદાએ તે તલ પરના મેલને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

Dec 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-355

 

અધ્યાય- ૬૮-દમયંતી ને સુદેવનો સંવાદ 


II बृहदश्च उवाच II ह्रतराज्ये नले भीमः सभाये प्रेष्यतां गते I द्विजान्प्रस्थापपामास नलदर्शनकांक्षया II १ II

બૃહદશ્વ બોલ્યા-આમ,હરાઈ ગયેલા રાજયવાળો નળ ને તેની પત્ની દમયંતી દાસપણું પામ્યા હતા,ત્યારે નળના દર્શનની આકાંક્ષાથી ભીમે બ્રાહ્મણોને પુષ્કળ ધન આપીને તેમને કહ્યું કે -'તમે નળ-દમયંતીને શોધી કાઢો.જે તેમને શોધીને અહીં લઇ આવશે તેમને હું વધુ ધન,સહસ્ત્ર ગાયો ને ગામ આપીશ' 

Dec 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-354

 

અધ્યાય-૬૭-નળરાજાનો ગુપ્તવાસ અને વિલાપ 


II बृहदश्च उवाच II तस्मिन्नंतर्हिते नागे प्रपयौ नलः I ऋतुपर्णस्य नगरं प्राविशदशमेSहनि II १ II

બૃહદશ્વ બોલ્યા-તે નાગના અંતર્ધાન થયા પછી,નૈષધરાજ નળ ત્યાંથી નીકળીને દશમે દિવસે ઋતુપર્ણના નગરે પહોંચ્યો.

ને રાજાની પાસે જઈને બોલ્યો કે-'હું બાહુક નામે સારથી છું.ઘોડાઓ હાંકવામાં,પૃથ્વી પર મારો કોઈ બરોબરિયો નથી.ચતુરાઈના કામોમાં સલાહ આપવા હું યોગ્ય છું,ભોજન બનાવવામાં,શિલ્પ કલામાં ને બીજાં 

જે દુષ્કર કામો છે તે સર્વ કરવાને હું હું પ્રયત્ન કરીશ,હે રાજા તમે મારુ ભરણ પોષણ કરો. (4)