અધ્યાય-૬૯-દમયંતી પિતાને ત્યાં,અને નળરાજાની શોધ
II सुदेव उवाच II विदर्भराजो धर्मात्मा भीमो नाम महाधुतिः I सुतेयं तस्य कल्याणी दमयन्तीति विश्रुता II १ II
સુદેવ બોલ્યો-'ધર્માત્મા અને મહાતેજસ્વી એવા વિદર્ભદેશના રાજા ભીમની આ પુત્રી દમયંતી નામે પ્રસિદ્ધ છે.
તે નિષધદેશના રાજા નળની પત્ની છે,જેના રાજ્યને તેના ભાઈએ જુગટામાં જીતી લીધું હતું એટલે તે આ દમયંતી સાથે રાજ્યમાંથી ચાલ્યો ગયો હતો ને તેમની કોઈ ભાળ મળતી નહોતી,તેથી રાજા ભીમની આજ્ઞાથી આ દમયંતીને ખોળવા અમે બ્રાહ્મણો પૃથ્વી પર વિચરી રહ્યા હતા,તે અહીં મને તે તમારા ભવનમાં મળી આવી છે,
આની બે ભંવર વચ્ચે જન્મથી જ એક ઉત્તમ કમલાકાર તલ છે,કે જે મેલથી ઢંકાયેલો છે,છતાં મેં તે નિશાનથી તેને
ઓળખી લીધી છે' સુદેવના આવા વચનથી સુનંદાએ તે તલ પરના મેલને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.