Dec 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-356

અધ્યાય-૬૯-દમયંતી પિતાને ત્યાં,અને નળરાજાની શોધ 


II सुदेव उवाच II विदर्भराजो धर्मात्मा भीमो नाम महाधुतिः I सुतेयं तस्य कल्याणी दमयन्तीति विश्रुता II १ II

સુદેવ બોલ્યો-'ધર્માત્મા અને મહાતેજસ્વી એવા વિદર્ભદેશના રાજા ભીમની આ પુત્રી દમયંતી નામે પ્રસિદ્ધ છે.

તે નિષધદેશના રાજા નળની પત્ની છે,જેના રાજ્યને તેના ભાઈએ જુગટામાં જીતી લીધું હતું એટલે તે આ દમયંતી સાથે રાજ્યમાંથી ચાલ્યો ગયો હતો ને તેમની કોઈ ભાળ મળતી નહોતી,તેથી રાજા ભીમની આજ્ઞાથી આ દમયંતીને ખોળવા અમે બ્રાહ્મણો પૃથ્વી પર વિચરી રહ્યા હતા,તે અહીં મને તે તમારા ભવનમાં મળી આવી છે,

આની બે ભંવર વચ્ચે જન્મથી જ એક ઉત્તમ કમલાકાર તલ છે,કે જે મેલથી ઢંકાયેલો છે,છતાં મેં તે નિશાનથી તેને

ઓળખી લીધી છે' સુદેવના આવા વચનથી સુનંદાએ તે તલ પરના મેલને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

Dec 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-355

 

અધ્યાય- ૬૮-દમયંતી ને સુદેવનો સંવાદ 


II बृहदश्च उवाच II ह्रतराज्ये नले भीमः सभाये प्रेष्यतां गते I द्विजान्प्रस्थापपामास नलदर्शनकांक्षया II १ II

બૃહદશ્વ બોલ્યા-આમ,હરાઈ ગયેલા રાજયવાળો નળ ને તેની પત્ની દમયંતી દાસપણું પામ્યા હતા,ત્યારે નળના દર્શનની આકાંક્ષાથી ભીમે બ્રાહ્મણોને પુષ્કળ ધન આપીને તેમને કહ્યું કે -'તમે નળ-દમયંતીને શોધી કાઢો.જે તેમને શોધીને અહીં લઇ આવશે તેમને હું વધુ ધન,સહસ્ત્ર ગાયો ને ગામ આપીશ' 

Dec 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-354

 

અધ્યાય-૬૭-નળરાજાનો ગુપ્તવાસ અને વિલાપ 


II बृहदश्च उवाच II तस्मिन्नंतर्हिते नागे प्रपयौ नलः I ऋतुपर्णस्य नगरं प्राविशदशमेSहनि II १ II

બૃહદશ્વ બોલ્યા-તે નાગના અંતર્ધાન થયા પછી,નૈષધરાજ નળ ત્યાંથી નીકળીને દશમે દિવસે ઋતુપર્ણના નગરે પહોંચ્યો.

ને રાજાની પાસે જઈને બોલ્યો કે-'હું બાહુક નામે સારથી છું.ઘોડાઓ હાંકવામાં,પૃથ્વી પર મારો કોઈ બરોબરિયો નથી.ચતુરાઈના કામોમાં સલાહ આપવા હું યોગ્ય છું,ભોજન બનાવવામાં,શિલ્પ કલામાં ને બીજાં 

જે દુષ્કર કામો છે તે સર્વ કરવાને હું હું પ્રયત્ન કરીશ,હે રાજા તમે મારુ ભરણ પોષણ કરો. (4)

Dec 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-353

 

અધ્યાય-૬૬-નળ અને કર્કોટકનો સંવાદ 


II बृहदश्च उवाच II उत्सृज्य दमयन्ति तु नलो राज विशांपते I ददर्शं दावं दह्यन्तं महान्तं गहने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે પૃથ્વીનાથ,દમયંતીને છોડીને નીકળેલા નળરાજાએ તે ગહન વનમાં મહાન દવ બળતો જોયો.

ને ત્યાં તે દાવાગ્નિના મધ્યમાં ગૂંચળું વાળીને બેઠેલા એક નાગને મદદ માટેની બૂમો મારતો જોયો.એટલે 

'તું બીશ નહિ' એમ કહીને નળે તે અગ્નિના મધ્યમાં પ્રવેશ કર્યો.નળને જોતાં જ તે નાગ ધ્રૂજતો ધ્રૂજતો કહેવા લાગ્યો કે-હે રાજન,મને કર્કોટક નાગ જાણો.મેં નારદને છેતર્યા હતા,તેથી તેમણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો હતો કે-

Nov 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-352

 

અધ્યાય-૬૫-દમયંતી ચેદિરાજના દેશમાં 


II बृहदश्च उवाच II सा तच्छ्रुत्वा नवध्यांगी सार्थवाहवश्वस्तदा I जगाम सः तेनैव सार्थेन पतिलालसा II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાર્થવાહનાં વચન સાંભળીને સુંદશંગી દમયંતી,પતિદર્શનની લાલસાએ તે વખતે જ સંઘની સાથે ચાલી.પછી,બહુ દિવસો પછી,તે વણિકોના મહાસંઘે તે દારુણ વનમાં 'પદ્મસૌગન્ધિક'નામના એક સરોવરના કિનારે નિવાસ કર્યો.થાકેલો સંઘ રાત્રે સૂતો હતો ત્યારે તેમના પાળતુ હાથીઓ પર જંગલી હાથીઓ ત્યાં ધસી આવ્યા.સંઘ માટે હાથીઓનો વેગ દુઃસહ થઇ પડ્યો ને અનેક લોકો તેમના પગ નીચે કચરાઈ ગયા.