Dec 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-353

 

અધ્યાય-૬૬-નળ અને કર્કોટકનો સંવાદ 


II बृहदश्च उवाच II उत्सृज्य दमयन्ति तु नलो राज विशांपते I ददर्शं दावं दह्यन्तं महान्तं गहने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે પૃથ્વીનાથ,દમયંતીને છોડીને નીકળેલા નળરાજાએ તે ગહન વનમાં મહાન દવ બળતો જોયો.

ને ત્યાં તે દાવાગ્નિના મધ્યમાં ગૂંચળું વાળીને બેઠેલા એક નાગને મદદ માટેની બૂમો મારતો જોયો.એટલે 

'તું બીશ નહિ' એમ કહીને નળે તે અગ્નિના મધ્યમાં પ્રવેશ કર્યો.નળને જોતાં જ તે નાગ ધ્રૂજતો ધ્રૂજતો કહેવા લાગ્યો કે-હે રાજન,મને કર્કોટક નાગ જાણો.મેં નારદને છેતર્યા હતા,તેથી તેમણે ક્રોધે ભરાઈને શાપ આપ્યો હતો કે-

Nov 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-352

 

અધ્યાય-૬૫-દમયંતી ચેદિરાજના દેશમાં 


II बृहदश्च उवाच II सा तच्छ्रुत्वा नवध्यांगी सार्थवाहवश्वस्तदा I जगाम सः तेनैव सार्थेन पतिलालसा II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાર્થવાહનાં વચન સાંભળીને સુંદશંગી દમયંતી,પતિદર્શનની લાલસાએ તે વખતે જ સંઘની સાથે ચાલી.પછી,બહુ દિવસો પછી,તે વણિકોના મહાસંઘે તે દારુણ વનમાં 'પદ્મસૌગન્ધિક'નામના એક સરોવરના કિનારે નિવાસ કર્યો.થાકેલો સંઘ રાત્રે સૂતો હતો ત્યારે તેમના પાળતુ હાથીઓ પર જંગલી હાથીઓ ત્યાં ધસી આવ્યા.સંઘ માટે હાથીઓનો વેગ દુઃસહ થઇ પડ્યો ને અનેક લોકો તેમના પગ નીચે કચરાઈ ગયા.

Nov 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-351

 

અધ્યાય-૬૩-દમયંતીની દુર્દશા 


II बृहदश्च उवाच II अपक्रान्ते नले राजन्दंमयंति गतक्लमा I अयुध्यत घरारोहा संत्रस्ता विलने वने II १ II

બૃહદશ્વ બોલ્યા-હે રાજન,નળ ચાલ્યો ગયો,એ પછી દમયંતી થાકથી મુક્ત થતાં,જાગી ને પોતાના સ્વામીને ત્યાં ન જોતાં,શોક ને દુઃખથી ઘેરાઈ ગઈ.ને તે દુખિયારી રોતી રોતી,વનમાં તેને આમતેમ ફરીને ખોળવા લાગી.

વારંવાર વિલાપ કરતી તે જમીન પર પડી ગઈ,ત્યારે એકાએક અજગરે ત્યાં આવોને તેને પકડી ને તેને ગળવા લાગ્યો.દમયંતીની બૂમો પાડવા લાગી જે સાંભળીને એક પારધી ત્યાં દોડી આવ્યો ને ત્યાં આવીને તેણે એક તીણા  હથિયારથી અજગરના મુખને ચીરીને તેણે દમયંતીને છોડાવી.(28)

Nov 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-350

 

અધ્યાય-૬૨-દમયંતીનો ત્યાગ 


II नल उवाच II यथा राज्यं तव पितुस्तथा मम न संशयः I न तु तत्र गामिप्यामि विषमस्य: कयंचन II १ II

 નળ બોલ્યો-'રાજય જેવું તારા પિતાનું છે,તેવું મારુ પણ છે એ વિષે મને સંશય નથી,પણ વિષમ સ્થિતિમાં આવેલો હું ત્યાં કોઈ રીતે જઈશ નહિ,એકવાર સમૃદ્ધિ સંપન્ન એવો હું ત્યાં ગયો હતો,ને તારા હર્ષમાં વૃદ્ધિ કરનારો થયો હતો,પણ હવે ત્યાં જઈને હું તારા શોકમાં વધારો કરનારો શા માટે થાઉં?'

Nov 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-349

અધ્યાય-૬૧-નળનું વનગમન 


II बृहदश्च उवाच II ततस्तु याते वार्ष्णेये पुण्यश्लोकस्य दीव्यतः I पुष्करेण हतं राज्यं यथान्यद्वसु किंचन II १ II

બૃહદશ્વ બોલ્યા-વાર્ષ્ણેય સારથિના ગયા પછી,પુષ્કરે,જુગાર રમતા પુણ્યશ્લોક નળરાજાનું રાજ્ય તથા તેની પાસે જે સંપત્તિ હતી,તે સર્વ હરી લીધું.પછી,પુષ્કરે હસતાં હસતાં કહ્યું કે-'હવે તારી પાસે એક દમયંતી બાકી છે,તને ઠીક લાગે તો તેને તું દાવમાં મૂક' ત્યારે નળનું હૃદય ક્રોધથી જાણે ફાટી ગયું,ને તેણે કોઈ ઉત્તર આપ્યા વિના,

પોતાના અંગો પરના સર્વ અલંકારો ઉતારીને માત્ર એક પહેરેલે ધોતિયે ત્યાંથી નીકળી ગયો.

તે વખતે દમયંતી પણ માત્ર એક વસ્ત્ર પહેરીને તેને અનુસરી રહી.