અધ્યાય-૬૩-દમયંતીની દુર્દશા
II बृहदश्च उवाच II अपक्रान्ते नले राजन्दंमयंति गतक्लमा I अयुध्यत घरारोहा संत्रस्ता विलने वने II १ II
બૃહદશ્વ બોલ્યા-હે રાજન,નળ ચાલ્યો ગયો,એ પછી દમયંતી થાકથી મુક્ત થતાં,જાગી ને પોતાના સ્વામીને ત્યાં ન જોતાં,શોક ને દુઃખથી ઘેરાઈ ગઈ.ને તે દુખિયારી રોતી રોતી,વનમાં તેને આમતેમ ફરીને ખોળવા લાગી.
વારંવાર વિલાપ કરતી તે જમીન પર પડી ગઈ,ત્યારે એકાએક અજગરે ત્યાં આવોને તેને પકડી ને તેને ગળવા લાગ્યો.દમયંતીની બૂમો પાડવા લાગી જે સાંભળીને એક પારધી ત્યાં દોડી આવ્યો ને ત્યાં આવીને તેણે એક તીણા હથિયારથી અજગરના મુખને ચીરીને તેણે દમયંતીને છોડાવી.(28)