Nov 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-348

 

અધ્યાય-૬૦-દ્યુતથી રોકવાનો દમયંતીનો પ્રયાસ 


II बृहदश्च उवाच II दमयन्ती ततो दष्टवा पुण्यश्लोकं नराधिपम् I उन्मत्तवदनुन्मत्ता देवेन गतचेतसम II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,હે રાજન,પુણ્યશ્લોક નળ મહારાજને,જુગારમાં ગાંડાની જેમ ભાન ગુમાવેલો જોઈને,દમયંતી

ભય ને શોકથી ઘેરાઈ ગઈ ને રાજા પ્રત્યેના પોતાના અતિમહાન કાર્યનો વિચાર કરવા લાગી.ને તે નળ પાસે ગઈ.

રાજાએ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું એટલે દમયંતીએ બૃહત્સેના નામની દાસીને મંત્રીઓને બોલાવી લાવવા કહ્યું.

મંત્રીઓ આવ્યા ત્યારે પણ રાજાએ તેમના તરફ લક્ષ આપ્યું નહિ.ને જુગારમાં મશગુલ રહ્યો.

Nov 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-347

 

અધ્યાય-૫૮-કલિનો દેવો સાથે સંવાદ ને તેનો કોપ 


II बृहदश्च उवाच II वृते तु नैषधे भैम्या लोकपाला महौजसः I यान्तो दद्क्षुरायान्त द्वापर बलिना सह II १ II

બૃહદશ્વ બોલ્યા-તે ભીમનંદિની દમયંતી,નૈષધરાજને વરી,તે પછી મહાઓજસ્વી તે લોકપાલો પાછા જતા હતા ત્યારે તેમણે દ્વાપરને કલિ સાથે જોયો.તે વખતે ઇન્દ્રે કલિને પૂછ્યું કે-'તું દ્વાપરને લઈને ક્યાં જાય છે?'

એટલે કલિએ ઇન્દ્રને કહ્યું કે-'દમયંતીના સ્વયંવરમાં જઈને હું તેને વરીશ કેમ કે મારુ મન તેનામાં લાગેલું છે'

ઇન્દ્રે હસીને કહ્યું કે-'તે સ્વયંવર તો પૂરો થઇ ગયો,ને તે દમયંતી અમારી હાજરીમાં જ નળને વરી છે'(4)