Nov 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-345

 

અધ્યાય-૫૬-દમયંતીનો નિશ્ચય 


II बृहदश्च उवाच II सा नमस्कृत्य देवेभ्यः प्रहस्य नलमन वीत I प्रणयस्य यथाश्रध्धं राजन किं करवाणि ते II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,મનથી દેવોને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીને તે દમયંતીએ નળને કહ્યું કે-'હે રાજન,તમે મને પરણો.કહો હું તમારું શું પ્રિય કરું?હું ને મારુ ધન એ સર્વ તમારું જ છે,તમે વિશ્વાસપૂર્વક મને વરો.હંસોએ વર્ણવેલ તમારા રૂપની પ્રશંસાએ મને વિહવળ બનાવી છે ને તમારે કાજે જ મેં આ સર્વ રાજાઓને અહીં ભેગા કર્યા છે,તમે મને જો તરછોડશો તો હું આત્મહત્યા કરીશ' ત્યારે નળે કહ્યું કે-'લોકપાલો તારી ઈચ્છા કરતા ઉભા છે,છતાં તું મનુષ્યને કેમ પસંદ કરે છે?

હું તો તેમના ચરણની રજ બરાબર પણ નથી,માટે મારા વિશેનું તારું મન 

તું પાછું વાળ.કેમ કે દેવોનું અપ્રિય કરનારો મનુષ્ય મૃત્યુ જ પામે છે એટલે તું મને બચાવ ને શ્રેષ્ઠ દેવને વર 

તું દેવોને પામીને સ્વર્ગના સર્વ ભોગોને પ્રાપ્ત થઈશ.એક મિત્ર તરીકે મારુ કહેવું માની લે' (12)

Nov 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-344

અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો 


II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.

પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'

ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,

એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'

Nov 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-343

 

અધ્યાય-૫૪-દમયંતીના સ્વયંવરની તૈયારી 


II बृहदश्च उवाच II दमयंती तु तच्छ्रुत्या वचो हंसस्य भारत I ततः प्रभृति न स्वस्था नलं प्रतिवभूव सा II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,હંસનાં તા વચન સાંભળ્યા બાદ દમયંતી,નળના સંબંધમાં સ્વસ્થ રહી શકી નહિ,ને ચિંતામાં ડૂબી દીન થયી ગઈ.તેનું મોં ફિક્કું પડી ગયું,તે સુકાવા લાગી ને વારંવાર નિસાસા નાખવા લાગી.

તે વિચારમાં લાગી રહેતી અને જાણે ગાંડા જેવી દેખાતી,તેનું ચિત્ત કામથી ઘેરાઈ ગયું હતું.તે પીળી પડી ગઈ,તેને ભોગોમાં પ્રીતિ થતી નહોતી અને દિવસ કે રાતે તે સુઈ શક્તિ નહોતી,ને રડયા  કરતી હતી.

Nov 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-342

 

અધ્યાય-૫૩-હંસ અને દમયંતીનો સંવાદ 


II बृहदश्च उवाच II आसीद्राजा नलो नामं वीरसेनसुतो बली I उपपन्नो गुणैरिष्टै रूपवानश्वकोविदः II १ II

બૃહદશ્વ બોલ્યા-બળવાન,રૂપવાન,સર્વ ગુણોથી સંપન્ન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત એવો નળ નામે રાજા હતો.

કે જે વીરસેનનો પુત્ર હતો.તે નિષધદેશનો અધિપતિ બ્રાહ્મણો પર પ્રીતિવાળો,વેદવેત્તા,શૂર,દ્યુતપ્રેમી 

ને સત્યવાદી હતો.તે મહાન અક્ષૌહિણી સેનાનો સ્વામી હતો,વારાંગનાઓને વહાલો હતો,ઉદાર,જિતેન્દ્રિય,પ્રજારક્ષક ને ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો.