Nov 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-344

અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો 


II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.

પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'

ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,

એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'

Nov 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-343

 

અધ્યાય-૫૪-દમયંતીના સ્વયંવરની તૈયારી 


II बृहदश्च उवाच II दमयंती तु तच्छ्रुत्या वचो हंसस्य भारत I ततः प्रभृति न स्वस्था नलं प्रतिवभूव सा II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,હંસનાં તા વચન સાંભળ્યા બાદ દમયંતી,નળના સંબંધમાં સ્વસ્થ રહી શકી નહિ,ને ચિંતામાં ડૂબી દીન થયી ગઈ.તેનું મોં ફિક્કું પડી ગયું,તે સુકાવા લાગી ને વારંવાર નિસાસા નાખવા લાગી.

તે વિચારમાં લાગી રહેતી અને જાણે ગાંડા જેવી દેખાતી,તેનું ચિત્ત કામથી ઘેરાઈ ગયું હતું.તે પીળી પડી ગઈ,તેને ભોગોમાં પ્રીતિ થતી નહોતી અને દિવસ કે રાતે તે સુઈ શક્તિ નહોતી,ને રડયા  કરતી હતી.

Nov 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-342

 

અધ્યાય-૫૩-હંસ અને દમયંતીનો સંવાદ 


II बृहदश्च उवाच II आसीद्राजा नलो नामं वीरसेनसुतो बली I उपपन्नो गुणैरिष्टै रूपवानश्वकोविदः II १ II

બૃહદશ્વ બોલ્યા-બળવાન,રૂપવાન,સર્વ ગુણોથી સંપન્ન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત એવો નળ નામે રાજા હતો.

કે જે વીરસેનનો પુત્ર હતો.તે નિષધદેશનો અધિપતિ બ્રાહ્મણો પર પ્રીતિવાળો,વેદવેત્તા,શૂર,દ્યુતપ્રેમી 

ને સત્યવાદી હતો.તે મહાન અક્ષૌહિણી સેનાનો સ્વામી હતો,વારાંગનાઓને વહાલો હતો,ઉદાર,જિતેન્દ્રિય,પ્રજારક્ષક ને ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો.

Nov 15, 2023

Kapil Gita-Gujarati-PDF Book-કપિલ ગીતા-બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-341

 

નલોપાખ્યાન પર્વ 

અધ્યાય-૫૨-ભીમસેનનાં વાક્યો ને નળાખ્યાનની પ્રસ્તાવના 


II जनमेजय उवाच II अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मानि I युधिष्ठिरप्रभृतय: किमकुर्यत पांडवा: II १ II

જન્મેજય બોલ્યા-અસ્ત્રપ્રાપ્તિ માટે મહાત્મા અર્જુન ઇન્દ્રલોક ગયો ત્યારે યુધિષ્ટિર આદિ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ત્યારે પાંડવો કામ્યક વનમાં વસી રહ્યા હતા.અર્જુનના વિયોગથી પીડાઈને,શોકમાં ડૂબેલા 

તે પાંડવો એક વખત કૃષ્ણાની સાથે એકાંત સ્થાનમાં બેઠા હતા ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,જેના પર પાંડવોના પ્રાણનો આધાર છે,તે અર્જુન તમારી આજ્ઞાથી અહીંથી ગયો છે,તેનું વિશેષ દુઃખ છે.