અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો
II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II
બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.
પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'
ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,
એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'