Nov 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-341

 

નલોપાખ્યાન પર્વ 

અધ્યાય-૫૨-ભીમસેનનાં વાક્યો ને નળાખ્યાનની પ્રસ્તાવના 


II जनमेजय उवाच II अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मानि I युधिष्ठिरप्रभृतय: किमकुर्यत पांडवा: II १ II

જન્મેજય બોલ્યા-અસ્ત્રપ્રાપ્તિ માટે મહાત્મા અર્જુન ઇન્દ્રલોક ગયો ત્યારે યુધિષ્ટિર આદિ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ત્યારે પાંડવો કામ્યક વનમાં વસી રહ્યા હતા.અર્જુનના વિયોગથી પીડાઈને,શોકમાં ડૂબેલા 

તે પાંડવો એક વખત કૃષ્ણાની સાથે એકાંત સ્થાનમાં બેઠા હતા ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,જેના પર પાંડવોના પ્રાણનો આધાર છે,તે અર્જુન તમારી આજ્ઞાથી અહીંથી ગયો છે,તેનું વિશેષ દુઃખ છે.

Nov 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-340

 

અધ્યાય-૫૧-ધૃતરાષ્ટ્રનો વિલાપ 


II वैशंपायन उवाच II तेषां तच्चरितं श्रुत्वा मनुष्यातीतमद्भुतम् I चिंताशोकपरीतात्मा मन्युनाSभिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-મનુષ્યોમાં અદ્ભૂત એવું પાંડવોનું ચરિત સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રનું મન,ચિંતા અને શોકથી ઘેરાઈ ગયું હતું.ક્રોધથી રેબઝેબ થઇ રહેલા તેણે લાંબા ને ઉના નિસાસા નાખ્યા ને તે સંજયને કહેવા લાગ્યો કે-હે સૂત,દ્યુતના પરિણામે,ખરે,ભયંકર અન્યાય વર્ત્યો છે.પાંડવોમાં જે શૌર્ય,ધૈર્ય અને પરમ વૃત્તિ છે,તેમ જ તે ભાઈઓમાં,માનવદુર્લભ જે સ્નેહ છે,તે સૌનો વિચાર કરતા મને રાત્રિ-દિવસ,એક ક્ષણ પણ શાંતિ મળતી નથી.

Nov 13, 2023

Advaitanubhuti-gujarati-By Aadi Shankracharya-અદ્વૈતાનુભુતિ-આદિ શંકરાચાર્ય

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-339

 

અધ્યાય-૫૦-પાંડવોના આહારનું વર્ણન 


II जनमेजय उवाच II यदि दंशोचित्तं राज्ञा धृतराष्ट्रेन वै मुने I प्रव्राज्य पांडवान्वीरात्सर्वमेतन्निरर्थकम् II १ II

જન્મેજય બોલ્યા-હે મુનિ,વીર પાંડવોને વનમાં કાઢ્યા પછી રાજા ધૃતરાષ્ટ્રે આ જે શોક કર્યો હતો તે નિરર્થક હતો,

કેમ કે મહારથી પાંડુપુત્રોને કોપાવનાર,એ અલ્પબુદ્ધિ દુર્યોધનની તેમણે તે વખતે કેમ ઉપેક્ષા કરી હતી?

હવે મને કહો કે તે પાંડવોનો વનમાં શો આહાર હતો? તેઓ વગડાઉ ખાતા હતા કે ખેડેલું ખાતા હતા?(3)

Nov 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-338

 

અધ્યાય-૪૯-ધૃતરાષ્ટ્રનો ખેદ 


II संजय उवाच II यदेतत्कचितं राजंस्त्वया दुर्योधनं प्रति I सर्वमेतयथातत्वं नैतन्मिथ्या महीपते II १ II

સંજય બોલ્યો-હે મહીપતિ,તમે દુર્યોધન સંબંધમાં જે કહ્યું તે બધું સાચું જ છે,તેમાંનું કશું મિથ્યા નથી.પોતાની ધર્મપત્ની કૃષ્ણાને સભામાં ઘસડી લાવવામાં આવેલી જોઈને તે પાંડવો ક્રોધથી ઘેરાયા છે.દારુણ ફળ લાવનારાં તે કર્ણ અને દુઃશાસનનાં વચનો સાંભળીને તે પાંડવો ઉંઘશે નહિ.એમ મારુ માનવું છે.હે રાજન,મેં સાંભળ્યું છે કે-

દેવાધિદેવ શિવજી,પોતે જ જિજ્ઞાસા માટે કિરાતનો વેશ લઈને અર્જુન સામે લડ્યા હતા,

ત્યારે અર્જુને તેમને પ્રસન્ન કર્યા છે.ને તેમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું છે,