અધ્યાય-૫૧-ધૃતરાષ્ટ્રનો વિલાપ
II वैशंपायन उवाच II तेषां तच्चरितं श्रुत्वा मनुष्यातीतमद्भुतम् I चिंताशोकपरीतात्मा मन्युनाSभिपरिप्लुतः II १ II
વૈશંપાયન બોલ્યા-મનુષ્યોમાં અદ્ભૂત એવું પાંડવોનું ચરિત સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રનું મન,ચિંતા અને શોકથી ઘેરાઈ ગયું હતું.ક્રોધથી રેબઝેબ થઇ રહેલા તેણે લાંબા ને ઉના નિસાસા નાખ્યા ને તે સંજયને કહેવા લાગ્યો કે-હે સૂત,દ્યુતના પરિણામે,ખરે,ભયંકર અન્યાય વર્ત્યો છે.પાંડવોમાં જે શૌર્ય,ધૈર્ય અને પરમ વૃત્તિ છે,તેમ જ તે ભાઈઓમાં,માનવદુર્લભ જે સ્નેહ છે,તે સૌનો વિચાર કરતા મને રાત્રિ-દિવસ,એક ક્ષણ પણ શાંતિ મળતી નથી.