Nov 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-334

 

અધ્યાય-૪૫-ચિત્રસેન અને ઉર્વશીનો સંવાદ 


II वैशंपायन उवाच II आदायेवाथ तं शक्रचित्रसेनं रहोSब्रवित् I पार्थस्य चक्षुरुर्वश्यां सक्तं विज्ञाप वासवः  II १ II

વૈશંપાયન બોલ્યા-વાસવ ઈંદ્રે,'અર્જુનની દૃષ્ટિ ઉર્વશીમાં આસક્ત થઇ છે' એવું જાણીને એકવાર ચિત્રસેનને એકાંતમાં બોલાવીને કહ્યું કે-'હે ગંધર્વરાજ,તું આજે જ મારા મોકલવાથી અપ્સરાશ્રેષ્ઠ ઉર્વશી પાસે જા ને તે અર્જુન પાસે જાય તેમ કર.તે અસ્ત્રવિદ્યા ને સંગીતવિદ્યામાં પારંગત થયો છે ને હવે તે સ્ત્રીસંગમાં વિશારદ થાય,એમ તું પ્રયત્ન કર' આમ,ઇન્દ્રની આજ્ઞાથી તે ચિત્રસેન,ઉર્વશી પાસે ગયો ઉર્વશીએ તેનો ભાવ જાણીને તેને સત્કાર આપ્યો.

પછી સુખપૂર્વક બેઠેલો ચિત્રસેન,સુખાસને બેઠેલી ઉર્વશીને કહેવા લાગ્યો કે-(5)

Nov 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-333

 

અધ્યાય-૪૪-અર્જુનને અસ્ત્રવિદ્યા ને સંગીતની શિક્ષા 


II वैशंपायन उवाच II ततो देवाः सगन्धर्वाः समादायार्ध्यमुत्ततम् I शक्रस्य मतमाज्ञाय पार्थमानर्चुरंजसा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રનો મત જાણી લઈને દેવો અને ગંધર્વો ઉત્તમ પૂજાસામગ્રી લાવીને અર્જુનની 

સત્વર પૂજા કરવા લાગ્યા.ને  તેને ઇન્દ્રભવનમાં લઇ ગયા.આમ,સત્કાર પામેલો અર્જુન પોતાના 

પિતાના ઇન્દ્રભવનમાં રહ્યો અને સંહાર-ઉપસંહાર સહિત અનેક મહાન અસ્ત્રોને શીખવા લાગ્યો.(3)

Nov 6, 2023

Dongreji Bhagvat Katha in Hindi-U Tube Video-Part 1 to 8-डोंगरेजी भागवत कथा-हिंदी-यु ट्युब विडिओ-भाग-१ से ८

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-332

 

અધ્યાય-૪૩-અર્જુનને ઇન્દ્રસભાનાં દર્શન 


II वैशंपायन उवाच II ददर्शं स पुरीं रम्यां सिद्ध्चारणसन्विताम् I सर्वर्तुकुसुमैः पुण्यैः पादयरूपशोभिताम् II १ II

વૈશંપાયન બોલ્યા-સિદ્ધો ને ચરણોથી સેવાયેલી તથા સર્વ ઋતુઓના ફુલોવાળાં પુણ્યવૃક્ષોથી શોભી રહેલી તે રમણીય ઇન્દ્રપુરી નગરી હતી.પછી,જ્યાં સૌગન્ધિક કમળપુષ્પોની પવિત્ર મહેંકમાં ભળેલા વાયુની સુરખી વહેતી હતી.તેવા નંદનવનને અર્જુને જોયું,કે જે અપ્સરાઓના સમુહોથી સેવાયેલું હતું.અને તેમાંના દિવ્ય કુસુમવાળાં વૃક્ષો જાણે તેને બોલાવી રહ્યાં હતાં.પુણ્યકર્મીઓના આ લોકને તપ ન કરનારાઓ,અગ્નિહોત્ર ન રાખનારાઓ ને યુદ્ધમાં પીઠ બતાવનારાઓ તો જોઈ જ શકતા નથી.(4)

Nov 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-331

 

ઇન્દ્રલોકાભિગમન પર્વ 

અધ્યાય-૪૨-અર્જુન ઇન્દ્રપુરીમાં 


II वैशंपायन उवाच II गतेषु लोकपालेषु पार्थः शत्रुनिवर्हण: I चितयामास राजेन्द्र देवराजरथं प्रति II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજેન્દ્ર,તે લોકપાલો ગયા પછી અર્જુન,ઇન્દ્રના રથનું મનમાં ચિંતન કરતો હતો,તે સમયે,

માતલિ સાથેનો મહા કાંતિમાન રથ ત્યાં આવી પહોંચ્યો.તે રથ આકાશને અંધકારરહિત કરતો હતો ને જાણે મેઘોને ચીરતો હતો.તે રથમાં અસંખ્ય શસ્ત્રો હતા ને વાયુના વેગ જેવા દશ સહસ્ત્ર હરિ નામના અશ્વો જોડેલા હતા.

અર્જુને,સુવર્ણજડિત દંડે બાંધેલો 'વૈજયંત' નામનો ઇન્દ્રધ્વજ જોયો.ને રથમાં સુવર્ણથી વિભૂષિત થયેલા સારથિને બેઠેલો જોઈને 'તે કોઈ દેવ જ છે' એવો તર્ક થયો.પણ,એટલામાં તો તે માતલિ સારથી રથમાંથી ઉતરીને તેની પાસે આવીને અતિ નમ્ર સ્વરે અર્જુનને કહેવા લાગ્યો કે-(10)