અધ્યાય-૪૪-અર્જુનને અસ્ત્રવિદ્યા ને સંગીતની શિક્ષા
II वैशंपायन उवाच II ततो देवाः सगन्धर्वाः समादायार्ध्यमुत्ततम् I शक्रस्य मतमाज्ञाय पार्थमानर्चुरंजसा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રનો મત જાણી લઈને દેવો અને ગંધર્વો ઉત્તમ પૂજાસામગ્રી લાવીને અર્જુનની
સત્વર પૂજા કરવા લાગ્યા.ને તેને ઇન્દ્રભવનમાં લઇ ગયા.આમ,સત્કાર પામેલો અર્જુન પોતાના
પિતાના ઇન્દ્રભવનમાં રહ્યો અને સંહાર-ઉપસંહાર સહિત અનેક મહાન અસ્ત્રોને શીખવા લાગ્યો.(3)