Nov 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-329

અધ્યાય-૪૦-અર્જુનને પાશુપત અસ્ત્રની પ્રાપ્તિ 


II देवाधिदेव उवाच II नरस्त्वं पूर्वदेहे वै नारायणसहायवान I वदयां तप्तवानुपं तपोवर्पायुतान्व्हन II १ II

 દેવાધિદેવ બોલ્યા-'પૂર્વજન્મમાં તું નારાયણના સાથવાળો 'નર' નામે ઋષિ હતો.અને ત્યારે બદ્રિકાશ્રમમાં તેં લાખો વર્ષ

તપ કર્યું હતું.તારામાં ને શ્રીવિષ્ણુમાં પરમ તેજ રહેલું છે ને તમે બંને આ જગતને તેજથી ધારણ કરી રહ્યા છો.

ઇન્દ્રના યજ્ઞ વખતે તમે બંનેએ મેઘના ઘોષવાળું ધનુષ્ય (ગાંડીવ) ધારણ કરીને દાનવોને મારી નાખ્યા હતા.

હે પાર્થ એ જ ગાંડીવ તારા હાથને જ યોગ્ય છે.મેં માયા વડે તેને હરી લીધું હતું,તે તને પાછું મળી જશે.

હે અર્જુન,તું સત્ય પરાક્રમી છે,હું તારા પર પ્રસન્ન છું,તારા સમાન મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં,બીજો કોઈ પુરુષ નથી,

ને સર્વ ક્ષત્રિયોમાં તું શ્રેષ્ઠ છે.તું ઈચ્છીત વરદાન માગી લે (6)

Nov 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-328

 

અધ્યાય-૩૯-કિરાત અને અર્જુનનું યુદ્ધ 


II वैशंपायन उवाच II गतेषु तेपु सर्वेपु तपस्विपु महात्मसु I पिनाकपाणिर्भगवान सर्वपापहरो हरः II १ II

વૈશંપાયન બોલ્યા-તે સર્વ તપસ્વી મહાત્માઓ જયારે ગયા,તે પછી,સર્વ પાપને હરનારા ને હાથમાં પિનાકને ધારણ કરનારા ભગવાન શંકરે તેજસ્વી કિરાત (ભીલ) નો વેશ ધારણ કર્યો.ને હાથમાં ધનુષ્ય ને સર્પ જેવાં તીક્ષણ બાણો લઈને

તે મહાવેગથી નીચે ઉતર્યા.તે વખતે ઉમાદેવી ને વિવિધ વેશધારી ભૂતો તેમને અનુસરી રહ્યાં હતાં.

Nov 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-327

 

કૈરાત પર્વ 

અધ્યાય-૩૮-અર્જુનની તપશ્ચર્યા 


II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पार्थस्याक्लिष्टकर्मणः I विस्तरेण कथामेतां यथास्त्राण्युपलब्धवान II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન.કઠિન કર્મ (તપ) કરવાવાળા અર્જુને જે રીતે અસ્ત્રોની પ્રાપ્તિ કરી તે કથા વિસ્તારથી 

હું સાંભળવા ઈચ્છું છું.હે બ્રહ્મન,તમે દેવોની ને મનુષ્યોની સર્વ વાતો જાણો છો.તો તે અર્જુને શિવજીને અને ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? કહે છે કે અર્જુને પૂર્વે શિવજી સાથે આશ્ચર્યકારી યુદ્ધ કર્યું હતું,તે વિશે વિસ્તારથી કહો.(8)

Oct 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-326

 

અધ્યાય-૩૭-ઇંદ્રકીલ પર્વત પર અર્જુનને ઇંદ્રનાં દર્શન 


II वैशंपायन उवाच II कस्यचित्पथ कालस्य धर्मराजो युधिष्ठिरः I संस्मृत्य मुनिसंदेशमिदं वचनब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યાં કેટલોક સમય વીત્યા પછી યુધિષ્ઠિરે વ્યાસજીનો આદેશ સંભારીને અર્જુનને,એકાંતમાં બોલાવી શાંતિપૂર્વક ને સ્મિત કરીને કહ્યું કે-'હે અર્જુન,ભીષ્મ,દ્રોણ,કૃપ.કર્ણ અને અશ્વસ્થામામાં,

આદાન,સંધાન,વિસર્ગ અને સંહાર એ ચારે પાદવાળો ધનુર્વેદ રહ્યો છે.દૈવ,બ્રાહ્મ અને માનુષ એ સર્વ શસ્ત્રોના પ્રયોગો તેઓ યત્ન અને ચિકિત્સા સહિત સમગ્ર રીતે જાણે છે.દુર્યોધને તે સર્વેને મનાવી લીધા છે અને ભોગાદિમાં ભાગીદાર કરીને રીઝવી લીધા છે,તેમની તરફ તે માનથી વર્તે છે ને તેમના પ્રત્યે અનુપમ પ્રીતિ રાખે છે.(6)

Oct 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-325

 

અધ્યાય-૩૬-યુધિષ્ઠિરનો ઉત્તર અને કામ્યક વનમાં પ્રયાણ 


II वैशंपायन उवाच II भीमसेनवचः शृत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I निःश्चस्य पुरुषव्याघ्र संप्रदध्पौ परंतपः II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેનનાં વચન સાંભળીને,શત્રુઓને તાપ આપનારા અને પુરુષોમાં સિંહ એવા યુધિષ્ઠિરે નિશ્વાસ નાખ્યો ને મનમાં વિચારવા લાગ્યા કે-'મેં રાજધર્મોને તથા વર્ણોના ધર્મનિશ્ચયો સાંભળ્યા છે.પણ,જે મનુષ્ય વર્તમાનમાં ને ભવિષ્યમાં જુએ છે તે જ સાચું જુએ છે.કઠિનતાએ જાણી શકાય એવી,ધર્મની મર્મગતિને ને 

હું જાણું છું,તો પછી હું બલાત્કારે તે ધર્મને કેમ કરીને નકારી શકું?' પછી થોડીવાર ધ્યાન કરીને 

અને કર્તવ્ય કર્મનો નિશ્ચય કરીને તેમણે તરત જ ભીમસેનને કહ્યું કે-(4)