અધ્યાય-૪૦-અર્જુનને પાશુપત અસ્ત્રની પ્રાપ્તિ
II देवाधिदेव उवाच II नरस्त्वं पूर्वदेहे वै नारायणसहायवान I वदयां तप्तवानुपं तपोवर्पायुतान्व्हन II १ II
દેવાધિદેવ બોલ્યા-'પૂર્વજન્મમાં તું નારાયણના સાથવાળો 'નર' નામે ઋષિ હતો.અને ત્યારે બદ્રિકાશ્રમમાં તેં લાખો વર્ષ
તપ કર્યું હતું.તારામાં ને શ્રીવિષ્ણુમાં પરમ તેજ રહેલું છે ને તમે બંને આ જગતને તેજથી ધારણ કરી રહ્યા છો.
ઇન્દ્રના યજ્ઞ વખતે તમે બંનેએ મેઘના ઘોષવાળું ધનુષ્ય (ગાંડીવ) ધારણ કરીને દાનવોને મારી નાખ્યા હતા.
હે પાર્થ એ જ ગાંડીવ તારા હાથને જ યોગ્ય છે.મેં માયા વડે તેને હરી લીધું હતું,તે તને પાછું મળી જશે.
હે અર્જુન,તું સત્ય પરાક્રમી છે,હું તારા પર પ્રસન્ન છું,તારા સમાન મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં,બીજો કોઈ પુરુષ નથી,
ને સર્વ ક્ષત્રિયોમાં તું શ્રેષ્ઠ છે.તું ઈચ્છીત વરદાન માગી લે (6)