Oct 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-325

 

અધ્યાય-૩૬-યુધિષ્ઠિરનો ઉત્તર અને કામ્યક વનમાં પ્રયાણ 


II वैशंपायन उवाच II भीमसेनवचः शृत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I निःश्चस्य पुरुषव्याघ्र संप्रदध्पौ परंतपः II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેનનાં વચન સાંભળીને,શત્રુઓને તાપ આપનારા અને પુરુષોમાં સિંહ એવા યુધિષ્ઠિરે નિશ્વાસ નાખ્યો ને મનમાં વિચારવા લાગ્યા કે-'મેં રાજધર્મોને તથા વર્ણોના ધર્મનિશ્ચયો સાંભળ્યા છે.પણ,જે મનુષ્ય વર્તમાનમાં ને ભવિષ્યમાં જુએ છે તે જ સાચું જુએ છે.કઠિનતાએ જાણી શકાય એવી,ધર્મની મર્મગતિને ને 

હું જાણું છું,તો પછી હું બલાત્કારે તે ધર્મને કેમ કરીને નકારી શકું?' પછી થોડીવાર ધ્યાન કરીને 

અને કર્તવ્ય કર્મનો નિશ્ચય કરીને તેમણે તરત જ ભીમસેનને કહ્યું કે-(4) 

Oct 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-324

 

અધ્યાય-૩૫-ભીમનાં વળતાં વચન 


II भीमसेन उवाच II संधिं कृत्यैव कालेन ह्यन्तकेन पतत्रिणा I अनन्तेनाप्रमेयेण स्त्रोतसा सर्वविहारिणा II १ II

ભીમસેન બોલ્યો-હે મહારાજ,તમે પણ મરણધર્મવાળા છો,કાળના બંધનથી બંધાયેલા છો,ફીણના જેવા ક્ષણભંગુર છો ને ફળના જેવા પતનશીલ છો.ને છતાં એ સર્વહારી કાળ સાથે તમે સંધિ કરી હોય તેમ માનો છો.

હે કૌંતેય,જેમ ઘણું બારીક કાજળ,એક સળી લગાડવાથી પણ ઓછું થાય છે તેમ પુરુષનો આવરદા એક પલકારામાં એ ઓસરી જાય છે.તો તેણે સમયની વાટ શા માટે જોવી જોઈએ? સાચે જ જે અમાપ આવરદાવાળો હોય,અથવા જે આયુષ્યનું પ્રમાણ જાણતો હોય,કે જે સર્વને પ્રત્યક્ષ જોતો હોય તે જ કાળની પ્રતીક્ષા કરી શકે.(4)

Oct 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-323

 

અધ્યાય-૩૪-યુધિષ્ઠિરનાં વાક્યો 


II वैशंपायन उवाच II 

स एवमुक्तस्तु महानुभावः सत्यव्रतो भीमसेन राजा I अज्ञातशत्रुस्तदनन्तरं वै धैर्यान्वितो वाक्यमिदं चमापे II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમસેને આ પ્રમાણે કહ્યું ત્યારે મહાનુભાવ,સત્યપ્રતિજ્ઞ અને અજાતશત્રુ યુધિષ્ઠિર બોલ્યા કે-

'હે ભારત,તું મને વાગ્બાણોથી વીંધીને ક્ષીણ કરે છે,તું કહે છે તે નિઃસંશય સાચું છે,ને તું પ્રતિકૂળ થયો છે તે માટે હું તને ઠપકો આપતો નથી.મારા દુર્વર્તનથી જ તમને સંકટ આવ્યું છે.મેં દુર્યોધન સામે મેં જુગટાનો સ્વીકાર કર્યો,પણ કપટી શકુનિ દુર્યોધનને બદલે મારી સામે રમવા આવી બેઠો,ને કપટથી એણે સભા વચ્ચે પાસા નાખીને,નિષ્કપટી એવા મને હરાવ્યો.ને તેથી આવેલી આપત્તિ હું જોઉં છું.શકુનિના પાસાઓને તેની ઈચ્છા મુજબ પડતા જોઈને પણ,હું મારી જાતને (મનને) વશમાં રાખી શક્યો નહિ.હે ભાઈ,આ મનને વશ કરી શકાતું નથી.

Oct 27, 2023

MANDIR SATHE PARANI MIRA--BY JHARNA VYAS

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-322

 

હે મહારાજ,દાન,યજ્ઞો,સત્પુરુષોનો સત્કાર,વેદાધ્યન અને સરળતા એ પરમ ધર્મ જરૂર છે,પણ આ સર્વ ગુણો હોય તો પણ ધનહીન મનુષ્ય આ ધર્મને સેવી શકતો નથી.ને એવું ધન,ભીખ માગ્યે કે નપુંસકતા રાખવાથી મળતું નથી,

બ્રાહ્મણો જે યાચના કરીને ધનસિદ્ધિ કરે છે તે તમારે માટે નિષિદ્ધ છે,તમે પરાક્રમપૂર્વક જ અર્થપ્રાપ્તિનો પ્રયત્ન કરો.કેમ કે ક્ષત્રિય માટે ભીખ માંગવાનું વિધાન નથી,તે જ રીતે તે વૈશ્ય ને શુદ્રની જીવિકા પણ ન જીવી શકે.

એનું પોતાનું બળ એ એનો વિશિષ્ટ ધર્મ છે.માટે હે પાર્થ,તમે એ સ્વધર્મને સ્વીકારો ને સામે આવેલા શત્રુઓને 

હણી નાખો.કે મારા અને અર્જુનના હાથે તમે ધૃતરાષ્ટ્રપુત્રો રૂપી વનનો નાશ કરાવો (52)