અધ્યાય-૩૫-ભીમનાં વળતાં વચન
II भीमसेन उवाच II संधिं कृत्यैव कालेन ह्यन्तकेन पतत्रिणा I अनन्तेनाप्रमेयेण स्त्रोतसा सर्वविहारिणा II १ II
ભીમસેન બોલ્યો-હે મહારાજ,તમે પણ મરણધર્મવાળા છો,કાળના બંધનથી બંધાયેલા છો,ફીણના જેવા ક્ષણભંગુર છો ને ફળના જેવા પતનશીલ છો.ને છતાં એ સર્વહારી કાળ સાથે તમે સંધિ કરી હોય તેમ માનો છો.
હે કૌંતેય,જેમ ઘણું બારીક કાજળ,એક સળી લગાડવાથી પણ ઓછું થાય છે તેમ પુરુષનો આવરદા એક પલકારામાં એ ઓસરી જાય છે.તો તેણે સમયની વાટ શા માટે જોવી જોઈએ? સાચે જ જે અમાપ આવરદાવાળો હોય,અથવા જે આયુષ્યનું પ્રમાણ જાણતો હોય,કે જે સર્વને પ્રત્યક્ષ જોતો હોય તે જ કાળની પ્રતીક્ષા કરી શકે.(4)